________________
૧૧૪
કાશી-બનારસ ચંદ્રપુરી:
(૧૧) કાશીથી ૧૪ માઈલ દૂર ચંદ્રપુરી નામનું ગામ છે. અહીંના લોકો આ ગામને ચંદ્રોટી કે ચંદ્રાવતીના નામે ઓળખે છે. ગંગાના તટ પર ઊંચી ભૂમિકાએ આ ગામ વસેલું છે. આ નાનકડા ગામની વચ્ચે પ્રથમ દિગંબર જૈન મંદિર આવે છે અને ત્યાંથી થોડું આગળ ચાલતાં એક ચાર વીઘા જેવડા વિશાળ ચોગાનમાં કિલોથી ઘેરાયેલું નાનું છતાં મનહર દેવાલય છે. તેમાં મૂ૦ ના શ્રીચંદ્રપ્રભુ અને તેની નજીકમાં ચરણપાદુકાની દેરી હતી પરંતુ અગાઉ ગંગામાં પૂર આવવાથી આ મંદિર ખંડિયેર જેવું બની ગયું છે. આ મંદિરવાળા ટીલાને રાજાને ટીલા કહે છે.
શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરનાં ચાર કલ્યાણકેનું સૂચક આ સ્થળ રમણીય છે. તેથી અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢીએ તેના જીર્ણોદ્ધારનું કામ હાથ ધર્યું છે.
આ સ્થળથી જ દૂર એક મોટી જૈન શ્વેતાંબર ધર્મશાળા છે અને મંદિરની સામી બાજુમાં દિગંબરી જેમ ધર્મશાળા છે. ગામમાં જેનું એકે ઘર નથી.
અહીં આસપાસમાં ઘણાં ખંડિચેરા અને ટીલા-ટેકરાઓ પડેલા છે. એનું ખોદકામ કરવામાં આવે તે પુરાતત્તવની કેટલીયે વસ્તુઓ હાથ લાગે તેમ છે.
અહીંથી ૧-૨ માઈલ દૂર કાદીપુર સ્ટેશન છે. સિંહપુરઃ
(૧૨) ચંદ્રપુરીથી પાછા ફરતાં લગભગ ૯ માઇલ પર સિંહપુરી નામનું જેન તીર્ધ જંગલમાં આવેલું છે. અહીંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org