________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ વર્ણના ચૌમુખજી વચ્ચે વૃક્ષને આકાર લે કરેલ છે. બાજુમાં ધાતુની શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા તેમજ દાદાજીનાં પગલાં વગેરે છે. તેની નજીકમાં (૪) શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર આવે છે. (૫) સુતાલાઘાટ પર શ્રીગોડીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે ને તેમાં ધાતુનાં બે મોટાં બિબે બિરાજે છે. (૭) રામઘાટ પર શ્રોચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર સત્તર શિખરવાળું અને ચાંદીની છત્રીવાળું છે. નીચે મૂ૦ ના શ્રીશામળિયા પાર્શ્વનાથ છે અને ઉપર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન છે. આ સિવાય બીજા જિનબિંબ,
વીશીના પટ્ટ, ગૌતમસ્વામીની મૂર્તિ, સુંદર દેરાસર વગેરે વિવિધ દેખાવ અને થાંભલામાંનું શિલ્પકામ મનહર છે. આ મંદિરને વહીવટ એક યતિજીના હસ્તક છે. તેઓ પાસેના ઉપાશ્રયમાં રહે છે. (૮) નંદસાર મહાલલામાં આવેલા અંગ્રેજી કેડીના નામે ઓળખાતા મકાનમાં ગુરુદેવ શ્રીવિજય. ધર્મસૂરીશ્વરજીએ સ્થાપેલી શ્રીયશોવિજય જેને સંસ્કૃત પાઠશાળા હતી, તેના પાંચમે માળે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજે છે ને ત્યાં જ શ્રીયશોવિજયજી ઉપાધ્યાયની મૂર્તિ પણ પધરાવેલી છે. (૯) ઠઠેરી બજારના ઘર દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાનની ધાતુની પ્રતિમા છે. (૧૦) ભદૈનીલુપુરથી થોડે આગળ જતાં જમણા હાથ વચ્છરાજ ઘાટના મથાળે ગંગાની સપાટીથી લગભગ ૨૫૦ ફીટ ઊંચે રમ્ય મંદિર શું છે, તેની આગળ વિશાળ ચેક છે, તેમાં આરસની છત્રીમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં કલ્યાણુકેનું સ્મરણ આપતી સ્થાપના કરેલી છે. પગલાં અને જિનબિંબો વિરાજે છે. સુવર્ણ કળશોથી સુશોભિત શિખર મનહર દેખાય છે. આ સ્થળનું વાતાવરણ ગમે તેનું મન હરી લે એવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org