________________
૧૨
પૂ. ભા. જે તીર્થભૂમિએ
પાર્શ્વનાથના ઉપદેશથી પ્રભાવિત થયા હતા. ભગવાન બુદ્ધને આ પ્રદેશમાં જ્યાં જ્યાં નિગ્રથાના પરિચય થયા હતા, જેની નોંધ તેમના પિટક ગ્રંથામાંથી મળી આવે છે તે ભગવાન પાર્શ્વનાથના જ શિષ્યા હતા. જૈન થામાં તેમને પાર્સ્થાપત્યિક નામે ઓળખાવ્યા છે.
ભગવાન સુપાર્શ્વનાથ અને ભગગાન પાર્શ્વનાથની સ્થાપના અનુક્રમે હીંના શૈલપુરના મંદિરમાં અને બન્દેની ઘાટ પરના મંદિરમાં અત્યારસુધી જળવાયેલી છે. અલબત્ત, એમાં સમયે સમયે નવનવા ઉદ્ધારા થતા જ રહ્યા છે. જૈનકથા સુજમ ભગવાન પાર્શ્વનાથે અજ્ઞાન તપસ્યા કરતા મહે જોગીના તાપણામાંથી ખળતા નાગને ખચાન્યા હતા તે સ્થળઃ આ નગરીના ગગાકાંઠે જ હતું. અહિં સાધનો આ અભૂતપૂર્વ પ્રાચીન ઘટનાનું કાઈ સ્મારક આપણા કમનસીબે રહેવા પામ્યું નથી.
ભગવાન મહાવીર પણુ ભગવાન પાર્શ્વનાથના ૫થે એ જ મહાન ધર્મના પુરસ્કર્તા હતા. એમના સમયમાં આ નગરી મહલકી જાતિના રાજાની રાજધાની હતી. મહારાજા શ્રેણિકને ત્રા ગામ પહેરામણીમાં મળ્યું હતું. એવા ઉલ્લેખ આગમગ્ર થામાંથી મળી આવે છે.
એ પછી જૈનાના આ ધાર્મિક કેન્દ્રની મહત્તા કયારે ઘટવા માંડી એ જાણી શકાતું નથી.
આજે આ નગરમાં લગભગ ૧૨ જૈન મંદિરો ઊભાં છે. માટે લાગે કેટક તેા બીજે ત્રીજે માળે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org