________________
કાશી-બનારસ
૧૧૧ વ્યાકરણ, તિષ, આયુર્વેદ વગેરે વિદ્યાનું આ પીઠ છે અને વિદ્યાને આજીવિકાનું સાધન નહિ બનાવનાર પંડિત આજે પણું એ જ પ્રાચીન પ્રણાલિએ વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપે છે.
ભારતના વિશ્વવિદ્યાલયમાં હિંદુ વિશ્વવિદ્યાલયનું સ્થાન મોખરે છે. કાશીની વિશાળ ભૂમિ ઉપર પથરાયેલા આ વિશ્વવિદ્યાલયમાં અર્વાચીન અને પ્રાચીન વિદ્યાઓની બધી શાખાએનું તુલનાત્મક વિદ્યા ધ્યયન કરાવવામાં આવે છે, એની સ્થાપનાથી માંડીને આજ સુધીની સ્થિતિ વસ્તુના વિકાસક્રમને ઈતિહાસ રજૂ કરે છે. એ જાણીને આપણે મુમૂવું ચેતનામાં નવા પ્રાણનો સંચાર થઈ આવે છે. આ વિશ્વવિદ્યાલયમાં જૈન સાહિત્યના અભ્યાસને માટે પણ પૂરતી સગવડ છે.
આ નગરીને જૈન ધર્મ સાથે સંબંધ બહુ પુરાણ છે. એ સંબંધ પ્રાગૃતિહાસિક કાળને ગણાય. કથાઓ જણાવે છે કે પહેલાં આ નગરી દેવવારાણસી, રાજવારાણસી, મદનવારાણસી અને વિજયવારાણસી-એમ ચાર વિભાગમાં વહેંચાયેલી હતી. સાતમાં ભગવાન શ્રીસુપાર્શ્વનાથ અને ત્રેવીસમા પ્રભુ શ્રી પાર્શ્વનાથની આ જન્મભૂમિ છે. શ્રી પાર્શ્વ નાથ ભગવાનના પિતા અશ્વસેન રાજાની અહીં રાજધાની હતી. ભગવાન પાર્શ્વનાથે અહીં જ દીક્ષા લઈને કેવળજ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમનું નિવણ સમેતશિખર ઉપર થયું એ ઉપરથી માની શકાય કે કાશીથી લઈને સમેતશિખર સુધી તેમનું વિહારક્ષેત્ર હતું અને એ પ્રદેશ ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org