________________
૧૧૦
પૂ. ભા. જે તીર્થભૂમિ उपाय छे येषां कापि गतिनास्ति तेषां वाराणसीगतिः। જેમને કાંઈ સગતિ થવાની આશા નથી તેમની વારાણસીમાં સદગતિ થાય છે. “કાશીના મરણ”ની કહેવત આ જ રહસ્યને આભારી છે.
વર અને અસી નામની નદીઓને અહીં ગંગામાં સંગમ થાય છે તેથી શાસ્ત્રગ્રંથમાં આ નગરીનું અસલ નામ “વારાણસી” નેંધાયેલું મળે છે. પાછળથી તેને અપભ્રંશ થતાં વણારસ-બનારસ એવા નામે પણ તે ઓળખાય છે.
- કાશી આજે હિંદુધર્મનું મોટું તીર્થસ્થળ છે. કાશીવિશ્વનાથનું પ્રખ્યાત મંદિર તેમનું યાત્રાસ્થળ છે. “વિવિધ તીર્થકલ્પ'કાર કહે છે કે, વિશ્વનાથ મંદિરમાં શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ છે. તેની પાસે એક મસિજદ છે તેને વિશે કહેવાય છે કે તે અગાઉ એક શિવાલય હતું. પરંતુ સ્થાપત્યની દષ્ટિએ જેનારને એમાંની જેનશેલી નજરે પડ્યા વિના રહેતી નથી. આ સિવાય અહીં સેંકડો શિવાલયો છે. ગંગા નદીના કિનારે ઠેઠ રાજઘાટથી લઈને અસીઘાટ સુધી લગભગ બે માઈલમાં જુદા જુદા નાના-મેટા ઘાટે બંધાયેલા છે. અહીં ગંગામાં નહાવાનું પુરય મનાય છે અને દૂર દૂરથી યાત્રાળુઓ એ માટે અહીં આવીને પોતાના જીવનની કૃતાર્થતા અનુભવે છે. ધર્મભાવનાને યાંત્રિક અને વ્યાપારી સ્વરૂપ આપનારા પંડ્યાઓ યાત્રાળુઓ પાસેથી મનમાની દલાલી પડાવતા નજરે ચડે છે.
ભારતની પ્રાચીન વિદ્યાની પરંપરાને સાચવી શખનારા સમર્થ પંડિતે અહીં જ મળી આવે છે. આથી દર્શન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org