________________
૧૯૯
કાશી-બનારસ
શહેરના મંદિરથી દૂર ૧ માઈલ ઉપર શ્રીહીરવિજયસૂરિ દાદાને બગીચો છે. તેમાં એક સુંદર ધર્મશાળા છે. ત્રશુઓ વર્ષ પહેલાં અહીં શ્રીહીરવિજયસૂરિજીનો સ્તુપ અને ચરણપાદુકાઓ હતી એવી નોંધ “તીર્થમાળા કરે છે. આજે એમાંનું કશું જણાતું નથી.
ગુલબજાર બાગ સ્ટેશનની નજીકમાં દિગંબર જૈન ધર્મશાળા અને તેની મધ્યમાં વિશાળ દિગંબર જૈન મંદિર છે.
પટણ–બખ્તિયારપુર થઈને બાઢ સ્ટેશને ઊતરી પાંડ રાક મરી જવાય છે. ભગવાન મહાવીર સ્વામીના વિહારક્ષેત્રોમાંનું જે મેરાક સંનિવેશ કહેવાય છે તે સ્થળ આ હશે એવું કેટલાકોનું માનવું છે.
અહીંથી મુકામા જંકશન થઈને સીતામઢી જવાય છે, જેનું પ્રાચીન નામ મિથિલા હતું.
૩૩. કાશી-બનારસ
પટણુ સ્ટેશનથી રવાના થઈને મંગલસરાઈ જંકશને ગાડ બદલી આધ રહિલખંડ રેલવે દ્વારા કાશી જેને રાજઘાટ પણ કહે છે તે સ્ટેશને ઉતરાય છે.
ભારતવર્ષની ભૂગોળ ઉપર કેટલાંચે સામ્રાજ ઊગ્યાં ને આથમ્યાં, કેટલીયે નગરીઓએ પિતાની યુવાની માણી અને વૃદ્ધાવસ્થામાં જર્જરિત થઈ ગઈ કે નાશ પામી. એ સૌની સાખ પૂરતી આ કાશીનગરી અમરપુરીના નામે કેમ ગવાઈ છે તેને મર્મ આજ સુધીની હયાતી દ્વારા ખુલ્લો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org