SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ભા. જે તીર્થભૂમિ સંખ્યા ક્યારે અને શા કારણથી ઘટવા માંડી તે જાણવા કશું સાધન નથી પણ આ નગરી ઉપર કાળના ઓળાએ દેખા દીધા ને એનાં તેજ ઓસરવા માંડ્યાં એ ઐતિહાસિક બીના છે. મેગેસ્થિનિસ જેણે પટણાને ૨૪ માઈલના ઘેરાવામાં પથરાયેલું જોયું હતું તે જ નગર હ્યુએનસંગના વખતમાં ૧૧ માઈલમાં સંકળાયેલું દુર્બળ દેખાતું હતું. આજે સેનભદ્રા અને સરયૂ અહીં ગંગાને મળે છે. સંગમ ઉપર જ પટણાનું સ્થાન છે. આજનું પટણા એની પુરાણી ભૂમિ ઉપર નથી. કહેવાય છે કે, આ નદીઓનાં પ્રચંડ મજા એ પ્રાચીન સમૃદ્ધિને ભરખી લીધી છે. આજના પટણામાં શ્રાવકાની વસતી નજીવી છે. શહેરને મધ્યભાગ જે ચેક કહેવાય છે તેમાં ખાંડેની ગલીમાં એક જૈન ધર્મશાળા છે. તેની પાસે જ એકી સાથે જોડાયેલાં બે જૈન મંદિરો છે. બંનેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. શહેરમાં પણ એક બીજી જૈન ધર્મશાળા છે. પટણા શહેરની પશ્ચિમે ગુલબજાર સ્ટેશનની સામે તુલસીમંડી છે. ત્યાં શ્રીસ્થૂલિભદ્રસૂરિની એક દેરી છે, જેમાં તેમની ચરશુપાદુકાઓ પ્રતિષ્ઠિત છે. તેની નજીકમાં સુદર્શન શેઠને લિએ ચડાવતાં તેમના પ્રભાવથી એનું સિંહાસન બની ગયેલું તે સ્થળ ઉપર એક ડેરીમાં માત્ર ચરણપાદુકાઓ થાપેલી છે. શ્રીધૂલિભદ્રની પાદુકા પાસે આમ્રવન છે અને તેની સામે એક તળાવ છે. પહેલાં આ તળાવ ખૂબ મોટું હશે એમ જણાય છે. આજે તે તેને ઘણેખરે ભાગ સૂકાઈ ગયેલ છે. આ તળાવમાં કમળ પુષ્કળ પ્રમાણમાં થાય છે, જે એના કુસુમપુર નામની સાર્થકતાનું સમરણ કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy