________________
બિહાર
૧૭ પણ આજે તો એ નગરી એક નાના ગામડાંમાં આવેલાં ગાડાં ઝુંપડામાં જ સમાઈ જાય છે. છતાંયે અવશે ઉપરથી તેની ભવ્યતાના વર્ણનનું સ્મરણ થઈ આવે છે.
૩૧, બિહાર રાજગિરના રેલવે સ્ટેશનથી રેલવે દ્વારા રવાના થઈ બિહાર શરીફ સ્ટેશને ઉતરાય છે. સ્ટેશન ઉપર એક ધર્મશાળા છે.
સ્ટેશનથી ૧ માઈલ દૂર મેથિયાન મહોલ્લામાં એક વિશાળ જૈન ધર્મશાળા છે. ધર્મશાળામાં પેસતાં છેડે દૂર જમણે હાથ તરફ મૂ ના. શ્રીમહાવીર ભગવાનનું દર્શનીય મંદિર છે ને માળ ઉપર મૂ, ના. શ્રી શાંતિનાથ ભગવાન છે. અહીં એક પ્રાચીન પંડિત શિલાલેખ છે, તેમને ડેક ભાગ વંચાય છે.
શહેરમાં બજાર નજીક એક ગલીમાં બે જૈન મંદિર છે. તે પૈકી એકમાં મૂ. ના. શ્રીચંદ્રપ્રભ ભગવાન અને બીજામાં શ્રી અજિતનાથ ભગવાન બિરાજમાન છે. શું ચાખંડી મહોલ્લામાં શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર વિશાળ અને ઊંચી બાંધણીનું છે. ચારે તરફની ઓરડીમાં શ્રીચંદ્રપ્રભુ, શ્રી પાર્શ્વનાથની ફણાવાળી સુંદર શ્યામલ મૂર્તિ અને પાદુકાઓ બિરાજમાન છે. તેની પાસે ઉપાશ્રય છે. અહીંથી થોડુંક આગળ ચાલતાં વનના ભાગમાં એક બગીચામાં દાદાજીની રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org