________________
૧૦૪
પૂ ભા. જે. તીર્થભૂમિએ બિહારને શાસ્ત્રોમાં તંગિયા નગરી કહેવામાં આવે છે. અત્યારે પણ બિહારથી ૪ માઈલ દૂર તુગી નામનું ગામડું છે. ચેટક રાજાની વૈશાલી નગરી આને કહેવામાં આવે છે પરંતુ શોધખેળના પ્રમાણેથી નકકી થયું છે કે, ગુફફરપુર જિલ્લામાં આવેલું બેસાડપટ્ટી એ જ વૈશાલી નગરી છે.
- ભગવાને અહીં સ્થપણાનું અગિયારમું ચાતુર્માસ કર્યું હતું. - ઉદતપુરીને પ્રસિદ્ધ બોદ્ધ વિહાર અને વિદ્યાપીઠ અહીં હતાં.
અત્યારે આ શહેરમાં જૂની ઢબની બાંધણી દેખાઈ આવે છે. બજાર મોટું છે. મોટે ભાગે મુસલમાનોની વસ્તી છે.
૩૨. પટણા બિહાર શરીફ બી. બી. એલ રેલ્વે દ્વારા રવાના થઈ અતિયાપુર જંકશને ગાડી બદલી ઈ. આઈ. રેલવે દ્વારા પટણ સ્ટેશને ઉતારાય છે.
આ નગરનું પ્રાચીન નામ પાટલીપુત્ર. જૈન ગ્રંથમાં આ નગરની ઉત્પત્તિ અને અહીં બનેલી અનેક જૈન ઘટનાઓની હક કત સંગ્રહાયેલી છે. એટલું જ નહિ, ભ. મહાવીર પછી મગધની આ રાજધાનીની ગાદીએ આવેલા રાજવંશમાં જેનધર્મની અવિચ્છિન્ન પરંપરા ચાલી આવી તેને રસિક ઈતિહાસ એ પૂરા પાડે છે અને જૈનધર્મના પ્રભાવ તેમ જ વિસ્તારની કલપનાનું અને બ્રાહ્મણોએ પ્રવેશવાને પણ નિષેધ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org