________________
૧૦૨
પૂ. ભા. જે તીર્થભૂમિ શ્રેણિકના રાજત્વકાળમાં રાજગૃહીની બહાર અનેક ઉલાને હતાં. તેમાં ભગવાન મહાવીર અને બુદ્ધે કેટલાંયે ચાતુર્માસ પસાર કર્યા હતાં અને તેથી જ બંને ધર્મના શ્રામાં તેને વારંવાર ઉલેખ કરેલ જેવાય છે.
ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદેશકમાં રાજગૃહીના ઊના પાણીના ઝરા વિષે ઉલ્લેખ છે. તેનું નામ
મહાતપતરપ્રભ” આપેલું છે, તે હદ પાંચસે ધનુષ્ય લાંબુ હતું. ચીની પ્રવાસી ફાહિયાને અને હુએનત્સાંગે ઊના પાણીના કરાઓ જોયાની હકીકત નેંધી છે. બૌદ્ધ ગ્રંથોમાં આ ઝરાને “તપદ” નામે ઓળખાવ્યો છે.
એક કાળે આ નગરીને ઘેરા ૪૮ ગાઉમાં હતે. શાલિભદ્ર અને ધન્ના જેવા અનર્ગત સંપત્તિ ધરાવતા અનેક ધનાઢયો અહીં વસતા હતા. કેટકેટલાયે જેના પ્રાસાદથી આ નગરી શોભાયમાન હતી. દુનિયાની કોઈ પણ ચીજ અહીંની કુત્રિકાપણમાંથી મળી શકતી હતી.
અહીં કયવના શેઠ, પુશ્ય શ્રાવક, મેઘકુમાર, જંબૂક કુમાર, નંદિષેણ, હિય અને સુલસા જેવા પુણ્યાત્માઓએ જન્મ ધારીને આત્મકલ્યાણ કર્યું હતું. વિચક્ષણ મંત્રી અભયકુમારે અહીં દીક્ષા લીધી હતી અને પ્રસન્ન રાજર્ષિ જેવાની આ કેવલ્યભૂમિ બની હતી. ધન્ના કાકંદી જેવા અનેક મહાત્માઓએ અહીં અનશનથી નિર્વાણ મેળવ્યું હતું.
પાંચે પહાડ ઉપર સં. ૧૭૦૦માં બધાં મળીને ૧૫૦ જિનમંદિર અને તેમાં કુલ ૩૦૩ જિનબિબે હતાં એમ * પ્રાચીન તીર્થમાળાઓ ઉપરથી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org