________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ ચાર વનખંડે તિયાર કરાવ્યા.
“ ત્યાર બાદ પૂર્વના વનખંડમાં તેણે અનેક સ્તંભેથી સુશોભિત અને અત્યંત મનોહર એવી એક મોટી ચિત્રસભા બંધાવી તેમાં પ્રેક્ષકોને પ્રસન્ન કરે તેવાં અનેક પ્રકારનાં લાકડાનાં રમકડાં, પુસ્તની બનાવટો, વિવિધ જાતનાં ચિત્રો, માટીની અનેક પ્રકારની સજાવટે, જુદી જુદી જાતનાં ગૂંથણ કામ, તથા વીંટીને, ભરીને અને સમૂહ કરીને તૈયાર કરેલા આ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા.
તે પ્રત્યેકની સમજ આપનારા નિપુણ કારીગર, તેમજ વિવિધ પ્રકારનાં ગાયન વાદન કરનારા ગાયકે, તથા કુશળ નટે ને ત્યાં પગાર આપીને રોકવામાં આવ્યાં હતા. શ્રમથી કંટાળીને નગર બહાર વિહાર કરવા આવનાર લોકો તે સભામાં નિરંતર બિછાવી રખાતાં આસન ઉપર બેસીને પ્રસન્નતાપૂર્વક તે દેખા જોતા, સંગીત સાંભળતા અને નાટકને રસ લઈ પિતાને શ્રમ દૂર કરતા.
દક્ષિણના વનખંડમાં અનેક જલ2ાથી ભિત, વિશાળ, ભવ્ય, ઊંચી તથા સહેલાઈથી સ્વચ્છ થઈ શકે તેવી એક પાકશાળા તૈયાર કરાવી હતી. તેમાં ખાન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારની વિપુલ ભેજનસામગ્રી તૈયાર કરવા પાકશાસ્ત્રમાં પ્રવીણ રસોઈયાઓને રોકેલા હતા. તે રસેઈયાઓ ત્યાં આવનારા શ્રમણો, બ્રાહ્મણ, અતિથિએ,
પણ લોકો અને માણસને તે જનસામગ્રી છૂટે હાથે આપતા. ત્યાં આવનાર કઈ ભૂખ્યું ન જાય તેવી નંદ મણિયારની ખાસ આજ્ઞા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org