________________
જગૃહી હવામીનું મંદિર આવે છે, જેમાં અગિયાર ગણધર ભગવાનની પાદુકાઓ એમની આ નિર્વાણભૂમિનું સ્મરણ કરાવે છે.
અહીંથી પાવાપુરી અને ગુણયાનાં જળમંદિર વગેરેનું દશ્ય દૂર દૂર ક્ષિતિજમાં આભસ્પશી એકાકાર બની જતું નેવાય છે. રાજગૃહી અને બીજી પહાડીઓનું દશ્ય, નીચે
તરતાં ઉના અને ઠંડા પાણીના કુંડે તાજગી પ્રેરે છે. ચારે તરફ ફેલાયેલી નિર્જન શાંતિમાં ઝાડ, પાન, કુંડ અને મંદિરનું દર્શન સહાનુભૂતિ પ્રેરતું આહ્લાદક બને છે. ગમે તેવાને પણ અહીંનું મુક્ત વાતાવરણ આધ્યાત્મિક ભાવનું સિંચન કરે જ છે.
પહાડની નજીકમાં શાલિભદ્રની નિમોલ્ય કુઈ વીર પાષાળ, ગઢમાં શ્રેણિક મહારાજાને મહેલ અને નંદ મણિચારની વાવ વગેરે સ્થળે જોઈને એ સમયની આ નગરીની ભવ્યતા કેવી હશે એને ખ્યાલ પ્રાચીન વર્ણને ઉપરથી થઈ આવે છે.
અહીં “નાયધમકહા” નામના જૈન આગમ ગ્રંથમાં નંદ મણિયાર નામના શ્રેષ્ઠીએ વૈભારગિરિ ઉપર એક વિશાળ પુષ્કરણ બંધાવી હતી તેનું મનહર વર્ણન કરેલું છે, તે જોઈએ:
વૈભાર પર્વતની પાસે સમચોરસ, સરખા કાંઠાવાળી, અનેક જાતનાં પુષ્પથી સુગંધિત, અને પુની ગંધથી છકેલા ભમરા તથા સારસ વગેરે અનેક જલચર પંખીઓના અવાજેથી ગુંજાયમાન એવી મોટી પુષ્કરણ બંધાવી.
“તેની ચારે દિશામાં તેણે ઘટાદાર વૃક્ષોની ગાઢ છાયાવાળા અને સુગંધિત પુષ્પવાળી લતાઓથી બહેકતા
તી.૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org