________________
૬
પૂ. ભા. જે તીથભૂમિએ સુર્વણગિરિઃ
આ ટેકરી ઉપર ચડતાં એક જૂની વંડીમાં શિલાલેખ છે. આ સ્થળ જરાસંધ રાજાના અખાડા તરીકે ઓળખાય છે. આગળ જતાં કુંડ આવે છે તેની સામેથી જ ચડાવ શરૂ થાય છે. માર્ગમાં પડેલી મોટી શિલાઓ ઉપર થઈને મંદિર પાસે અવાય છે. અહીં શ્રીષભદેવ ભગવાનનું નાનું મંદિર પૂર્વાભિમુખ છે. દેરાસરનાં જૂનાં ખંડિયેર પડેલાં છે. વૈભારગિરિ
આ પહાડનો ચઢાવ સરળ છે. પહાડના પાછલા ભાગમાં શ્રેણિક રાજાને ભંડાર અને રોહિણિયા ચારની ગુફાનાં સ્થળો છે. આ સ્થાને પાસેથી પણ ઉપર ચડી શકાય એ માર્ગ છે પરંતુ રસ્તે વિષમ હોવાથી લાંબા છતાં સીધા માર્ગે જવું વધારે સલાહભર્યું છે.
પહાડ ઉપર (૧) શ્રી મહાવીરસ્વામીનાં પગલાંવાળું દેરાસર છે. ચારે તરફ ચાર દેરીઓમાં શ્રી પાર્શ્વનાથ, શ્રીકુંથુનાથ, શ્રીસુપાર્શ્વનાથ અને શ્રી પદ્મપ્રભ પ્રભુની પ્રતિમાઓ બિરાજમાન છે. (૨) શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાવાળા મંદિરમાં ધના–શાલિભદ્રની મૂર્તિઓ છે. આ મૂર્તિઓ પાસેના પડી ગયેલા મંદિરમાંથી લાવીને અહીં પધરાવવામાં આવી છે. (૩) શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાનનાં પગલાંવાળું મંદિર છે. (૪) શ્રીજગતશેઠે બંધાવેલું મંદિર ડાબી બાજુએ છે અને જમણી બાજુએ પુરાણું મંદિ૨ના ખંડિયેર જેવાય છે. પહાડની છેક ઉપર જતાં શ્રીગૌતમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org