________________
પૂ. ભા. જે તીર્થભૂમિએ લેખ હેવાનું કહેવાય છે. મંદિરમાં બે બાજુએ બે ગભારા છે. એકમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અને બીજામાં શ્રીષભદેવ ભગવાનની મૂતિઓ બિરાજમાન છે. એ સિવાય બીજા જિનબિબે પણ છે.
બીજું શીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. મૂળનાયક ભગવાનની શેભનીય શ્યામલ મૂર્તિ છે. તેમની બાજુમાં શ્રી શાંતિનાથ ભગવાન છે અને તેના ઉપર સં. ૧૧૧૦ ને લેખ છે. આ મંદિરમાં ધના-શાલિભદ્રની વેત ઊભી કૃતિઓ છે અને બીજી પ્રાચીન શિલ્પકળાની વિવિધ આકૃતિઓ નજરે ચડે છે.
અહીં પાંચ પહાડે છે તે એક બીજાથી સંકળાયેલા છે. ધર્મશાળાથી વિપુલગિરિની યાત્રાએ જતાં દિગંબર મંદિર, દિગંબર ધર્મશાળા અને ડાકબંગલે આવે છે. દિગંબર કોઠીથી જમણા હાથે નાહર બાબુનું શાંતિભવન છે. તેના બગીચામાં બુદ્ધદેવનાં પાંચ સ્તૂપ, મૂતિ તેમજ વિપુલાચલ સંબંધી કાળા પથ્થર ઉપર કરેલે લેખ દીવાલમાં જડેલ છે. ૧. વિપુલગિરિ
ધર્મશાળાથી ૧ માઈલ દૂર વિપુલગિરિની તળેટી છે ત્યાં ગરમ પાણીના પાંચ કુંડ આવેલા છે. તળેટીથી વિપુલગિરિ પહાડીને રસ્તે વાંકોચૂકો અને વચ્ચે આડાઅવળા પડેલા પથ્થરોને લીધે કઠણ લાગે છે.
અહીં પ્રાચીન સમયની નાની દેરીઓ છે. એક મંદિર છે જેમાં અઈમુત્તા મુનિની ઊભી મૂર્તિ છે અને જમણી બાજુએ આદીશ્વર ભગવાનનાં પગલાં છે, જે ભારગિરિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org