________________
રાજગૃહી નાલંદા વિશ્વવિદ્યાલય
એક તરફ બૌહોની ભૂતકાલીન કીર્તિનું કરુણ ગીત સંભળાવતાં અવશેષ જેવાય છે. તે સાતમ-આઠમી શતાબ્દીમાં પૂર્ણ જાહોજલાલી જોગવતા નાલંદા વિશ્વવિદ્યાલયના નામથી ખ્યાતિ પામેલા વિદ્યાપીઠનાં પ્રાચીન ખંડિયેર છે. સરકારી પુરાતત્વ સંશોધનખાતા તરફથી હમણું ખોદકામ થયું ત્યારે આ સંસ્કારધામનાં ખંડિયેરેને પત્તો લાગ્યું છે. પુરાતત્વના અભ્યાસીઓને આ સ્થળ દર્શનીય છે.
અત્યાર સુધીમાં અહીં જે ખેદકામ થયું છે તે કરતાંયે ભૂમિના વધુ સ્તર બેદી કાઢવામાં આવે તે બૌદ્ધો પહેલાની પ્રાચીન જૈન સામગ્રી હાથ લાગે એમ છે.
૩૦. રાજગૃહી. નાલંદા સ્ટેશનથી રેલ્વે રસ્તે ૮ માઈલ દૂર રાજગિર નામના છેલ્લા સ્ટેશને ઉતરાય છે.
આ ગામના નાકા ઉપર બે મોટી જૈન ધર્મશાળાઓ સામસામે આવેલી છે, ધર્મશાળામાં કારખાનાની પેઢી છે અને યાત્રાળુઓને હરેક પ્રકારની સગવડ મળે છે. આ બંને ધર્મશાળાની વચ્ચે પડતા રસ્તે ગામ તરફ જતાં કેટયુક્ત એક વિશાળ કંપાઉંડમાં શિખરબંધી એ ભવ્ય મંદિર આવેલાં છે, આ બે મંદિરો પૈકી એક મૂ૦ ના શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું છે. મૂળનાયકની મૂર્તિનું શિલ૫ કુલ૫ાક તીર્થના જિનબિંબનું સમરણ કરાવે છે, આ મૂર્તિ ઉપર સં.૧૧૧૦ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org