________________
પૂ. ભા. જૈન તીર્થભૂમિઓ ૧૫૬૫ માં) અહીં સેળ મંદિર હોવાને ઉલેખ કરે છે. ' તે પછી પં. જયવિજય સં. ૧૬૪ માં અહીં આવ્યા ત્યારે ૧૭ મંદિર અને તેમાં ૧૭ પ્રતિમાઓ હોવાનું કહે છે. તે પછી શ્રીવિજયસાગર નામના યાત્રી, અહીં ૨ મંદિરો હતાં એમ કહે છે, જ્યારે સૌભાગ્યવિજયજી સં. ૧૭૫માં અહીં ૧ મંદિર અને બીજાં પ્રતિમા વિનાનાં મંદિરે દશામાં છે એમ કહે છે.
આ હકીક્ત ઉપરથી જણાય છે કે અઢારમા સિકાની શરૂઆતમાં અહીં કાળઝપાટે એ લાગે જેથી ૧૭ મંદિ૨માંથી માત્ર એક જ બચી રહ્યું.
અત્યારે ગામના છેડે એક જૈન ધર્મશાળા છે. તેમાં જ એક મોટું જિનાલય ઊભું છે. મૂ.ના. શ્રી ઋષભદેવ ભગવાનની શ્યામવર્ણ પ્રાચીન પ્રતિમા તેમાં બિરાજે છે. મૂના.ની બને બાજુએ મળીને ૯ પ્રાચીન મૂર્તિઓ છે. વળી, ડાબી બાજુએ ચેકીની છત્રીમાં ૨ નાની મૂર્તિઓ બિરાજે છે. મંદિરના રંગમંડપની સામે બહાર જવાના રસ્તા પાસે જ નંદીશ્વર દ્વીપની રચના કરેલી છે અને તેની પાસે કેટલીક મૂતિઓ મૂકેલી છે.
ધર્મશાળામાં કુવાની નજીક એક સુંદર નાની છત્રી શોભી રહી છે. તેમાં દાદાજીનાં પગલાં છે.
૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ' પૃ. ૧૭. ૨. એજન ૫, ૩૦. ૩. એજન ૫, ૩૦. ૪. એજન ૫, ૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org