________________
પૂ. ભા. જે. તીર્થભૂમિ સમવસરણની રચનાવાળું પાકી બાંધણીનું મંદિર-છત્રી છે. આ છત્રી વિશાળ જગા ઉપર બંધાયેલી હોવાથી રમણીય લાગે છે. છત્રીના મધ્યભાગમાં શ્રી મહાવીર સ્વામીની ચરણપાદુકા ગોઠવાયેલી છે. આ ચરણપાદુકાઓ ઉપર્યુક્ત સ્વપમાંથી લાવીને અહીં પધરાવવામાં આવી છે.
આ છત્રીની નજીકમાં બાબુ સીતાપચંદજી નાહરે બંધાવેલી વિશાળ ધર્મશાળા છે. તેની સામી બાજુએ કાલુ આબુએ બંધાવેલી ધર્મશાળા અને બગીચે આવેલો છે. તેની પાસે જળમંદિરમાં જવાને મેડીબંધ દરવાજે આવે છે. આ દરવાજા પાસે જ બેઠીબાંધણની એક ધર્મશાળા પણ છે.
જળમંદિરથી થોડે છેટે જળમંદિરના કિનારા ઉપર જ થોડાં વર્ષો પહેલાં દિગંબરીઓએ એક વિશાળ ધર્મશાળા અને તેમાં એક શિખરબધી જિનાલય બંધાવ્યું છે.
શ્રીવીર ભગવાનના નિવણદિવસે–ગુજરાતી આસો વદિ અમાવાસ્યાના દિવસે આ તીર્થમાં મોટે મેળે ભરાય છે. દૂર દૂરથી હજારે યાત્રીઓ એકઠા થાય છે અને નિર્વાણઉત્સવ ઊજવે છે. કાતિક સુદિ ૧ના દિવસે ભગવાનની રથયાત્રા નીકળે છે.
પુરી ગામ વેતાંબર જૈનેના તાબામાં છે. એ ઉપરાંત બીજાં પણ બે-ત્રણ ગામે જેનેની હકુમત હેઠળ છે. અહીં સંઘની પેલી છે, જે અહીંનાં બધાં શ્વેતાંબરી મંદિરની સારસંભાળ રાખે છે અને ગામને વહીવટ કરે છે.
બી. બી. એલ. જેમાં પાવાપુરી સ્ટેશન પણ થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org