________________
Qતા ઉગ
છે. તે
સાંજ
પાવાપુરી મધ્ય ભાગમાં ઘણું ઊંડાણ છે. બારે માસ પાણી ભર્યું રહે છે. સરોવરમાં સાપ, માછલાં, દેડકાં, કાચબા વગેરે જળચર પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં રહે છે. કહેવાય છે કે એક બીજાને કદી હેરાન કરતાં નથી. અસંખ્ય કમળોથી છવાયેલા આ મનહર સરોવરની વચ્ચે ભગવાન મહાવીર સ્વામીનું મંદિર શોભી રહ્યું છે.
રસ્તા ઉપરથી મંદિરમાં જવા માટે લાંબો કહેડાવાળા સુંદર પૂલ બાંધે છે. તેના મુખ્ય દરવાજા ઉપરની એક મેડીમાં ચાઘડિયાં બેસે છે, જ્યાં સાંજ-સવાર નોબત ગગડયા કરે છે.
ભગવાનના મોટા ભાઈ રાજા નંદિવને આ સ્થળે મંદિર બંધાવ્યું એમ કહેવાય છે અને કેટલાયે ઉદ્ધારા થયા પછી આજે આ સ્વરૂપે દૃષ્ટિગોચર થાય છે. આ મંદિ૨માં મૂળનાયકના સ્થાને ભ. મહાવીરની ચરણપાદુકાઓ સ્થાપના કરેલી છે. તેની બંને બાજુએ શ્રીગૌતમસ્વામી અને શ્રીસુધર્માસ્વામીની ચરણપાદુકાઓ છે. મંદિરની ભમતીમાં ગણધર, સોળ મહાસતીઓ, ચંદનબાળા અને દાદાજીની મૂર્તિઓ બિરાજમાન છે.
જળમંદિરની પાસે રસ્તા ઉપર મહેતાબકુંવરીએ બંધાવેલું એક મોટું શિખરબંધી જિનાલય છે. તેમાં મૂઠ ના શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ બિરાજમાન છે. ઉપરના માળમાં ચૌમુખજી છે.
આ દેરાસરની બાજુમાં બાબુ બુદ્ધિસિંહજી ધેડિયાએ બંધાવેલી ધર્મશાળા છે. ત્યાંથી થાય છેટે એક ગલીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org