________________
પાઠ્યપ
૮૭ આવેલું જાણ્યું ત્યારે કો મરણથી હતાશ ન થાય એ ખાતર સળ પ્રહરની દશનામાં ઉત્તરાધ્યયન સૂત્રનાં અધ્યયને ભગવાને અહીં જ ઉચ્ચાય. આ અધ્યયન દ્વારા લેકોને મોતને ભય જીતી લેવા, એટલું જ નહિ, મરીને પણ જીવવાને મંત્ર શીખી લેવાને પ્રબોધ કર્યો. એ પછી હસ્તિપાલ રાજાની રજજુગશાળામાં આ ઝળહળતી જ્યોતિ બુઝાઈ ગઈ અને નિર્વાણની પરમ શાંતિ પ્રાપ્ત કરી. એ દિવસે એકઠા થયેલા મલિક અને લિચ્છવિ વંશના રાજાઓએ ભગવાનની જ્ઞાતિના અભાવમાં નિવણને ઉત્સવ ઉજવવા દ્રવ્ય ઉદ્યોત પ્રગટાવ્યો, ત્યારથી “દિવાળી પર્વ અસ્તિત્વમાં આવ્યું. આજે પણ આ પર્વ માનવમાત્ર વિવિધ ભાવનાથી ઊજવે છે પણ તેનું ખરું રહસ્ય આ હકીકતને આભારી છે. આ રીતે ભગવાનની આરાધના સાધનાનો અહીંના વાતાવરણમાં ચિરંતન ગુંજતે પડઘે આજે પણ સંભળાયા કરે છે.
એ પ્રાચીન કાળની પાવાપુરી આજે તે પાવા અને પુરી એ નામનાં બે ગામડાંઓમાં વિભક્ત થયેલી છે, જે ગામડાં એક માઈલના અંતરે એક બીજાથી છૂટા પડી ગયેલાં છે. આપણું તીર્થધામ પુરીમાં આવેલું છે.
ગામની મધ્ય ભાગમાં વેતાંબર જેનેનું વિશાળ મંદિર અને બે ધર્મશાળાઓ છે. આ મંદિરને “ગામ મંદિર કહેવામાં આવે છે. મંદિરના મધ્ય ભાગમાં ભગવાન મહાવીરની સુંદર પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. તેની આસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org