________________
પૂ. ભા. જૈ. તીથી દિન અને તેના હદયમાં શલ્યની માફક ખૂયા કરતી શંકાનું પૂછયા વિના જ સમાધાન કર્યું ત્યારે તેને પિતાને પાંડિત્ય ગર્વ અકળાવવા લાગ્યા. તેને પ્રયત્ન જાણે સૂર્ય સામે ધૂળ ફેંકવા જે તેને ભાસવા લાગ્યો. આમ બીજાને આંજવા જતાં પોતે જ અંજાઈ ગયા જેવી તેની સ્થિતિ થઈ ગઈ. - એ પછી તે આ વાત તેના બે ભાઈ નામે અગ્નિભૂતિ અને વાયુતિના કાને વાયુવેગે પહોંચી ત્યારે તેઓ તેમજ વ્યવ, સુધર્મા, મંડિક-મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ એમ એક પછી એક અગિયારે વિદ્વાને પિતપોતાના શિષ્ય પરિવાર સાથે ભગવાન પાસે આવ્યા અને પોતપોતાની શંકાઓનું સમાધાન એ રીતે થતાં તેમને પાંડિત્ય અને પ્રતિષ્ઠાને ઘટાટો૫ આપોઆપ ઊતરી ગયો. અગિયારે બ્રાહ્મણે પિતાની ૪૪૦૦ની શિખામંડલી સાથે એ સ્થળે ભગવાનના શિષ્ય બન્યા અને ગણધર કહેવાયા. આ ગણધર ભગવાનના મુખમાંથી નીકળેલી ત્રિવેણી સવરૂપ ત્રિપદીને ઝીલી લઈ દ્વાદશાંગીની રચના અહીં કરી, જેને બચી રહેલે ભાગ આજે પણ આપણા સાહિત્યનો અક્ષયનિધિ બની રહ્યો છે.
બીજા તબક્કામાં ભગવાને જેનધર્મનાં આસન લેકહૈયામાં સદા અચલ બન્યાં રહે એ ખાતર સામાજિક રચનાના એક ભાગ તરીકે શ્રમણુધર્મની માફક ગૃહસથધર્મને પણ દેશનાઝરે વહેતો કર્યો અને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા-એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.
છેલલે છેલ્લાં ભગવાને જ્યારે પિતાનું મરણ પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org