________________
પાવાપુરી
૮૫ પણ મળે છે પરંતુ અહીં શ્રીવીર પ્રભુનું નિર્વાણ થતાં તેનું નામ
પાવાપુરી પડ્યું. ભગવાન મહાવીરના સમયે અહીં હસ્તિપાલ નામને રાજા રાજ્ય કરતે હતે. પહેલાં આ નગરી વિશાળ હતી.
- જ્યારે મહાવીર ભગવાનની ઉપદેશધારા અહીં વહેતી હશે ત્યારે આ નગરીની વિશાળતા અને માનવ મહેરામણની ભરતી કેવીક હશે એની કલ્પના ખાતર ભગવાનની અહીં બનેલી કેટલીક જીવનઘટના તરફ ધ્યાન દેરીએ; અને અહીંના શાંતિપ્રદ આહુલાદક વાતાવરણનું રહસ્ય સમજીએ.
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી તેઓ જ્યારે અપાપા નગરીમાં આવ્યા તે જ સમયે એ નગરીના સેમિલ, નામના ધનાઢ૫ બ્રાહ્મણે યજ્ઞનો આરંભ કર્યો હતો. તે યજ્ઞકર્મમાં કુશળ અને સમગ્ર વિદ્યામાં પારંગત એવા અગિયાર વિદ્વાન બ્રાહ્મણે ને પિતાના શિષ્ય પરિવાર સાથે આમંચ્યા હતા. યાની આસપાસ વીંટાયેલી માનવ-મેદનીએ જ્યારે ભગવાનના આવ્યાના સમાચાર જાણ્યા કે તરત યજ્ઞ છોડી દઈને ભગવાનના દર્શને એ મેદની ઊલટી પડી. આ જે આ અગિયાર વિદ્વાનેને થયું કે આવું માયાવી આકર્ષણ જમાવી બેઠેલો એ કર્યો પુરુષ છે? એ જેવા અને તેને પિતાની પાંડિત્યપ્રતિભાથી અજી દેવાના સંક૯૫થી સૌ પહેલાં ઈદ્રભૂતિ નામને વિદ્વાન ભગવાન પાસે આવ્યા. આવતાવેંત પ્રથમ દષ્ટિએ ભગવાનની તેજસ્વી, શાંત અને જ્ઞાનગંભીર મુખમુદ્રા જોઈ તેની કુંફાડા મારતી પાંડિત્યપ્રજાની ફણા આપોઆપ સંકોચાઈ ગઈ અને જ્યારે ભગવાને તેનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org