________________
૨૮. પાવાપુરી
ગુણાયાથી ૧૨ માઈલ અને બિહારથી અગ્નિખૂણામાં ૭ માઈલ દૂર આવેલી “પુરી” અથવા “પાવાપુરીના નામે જે સ્થળ આજે પણ જેનેના પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે તે “પાવા ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ છે, એમાં સંદેહ નથી. જેન શાસ્ત્રોમાં આ સ્થળને “મધ્યમા-પાવા” નામે ઓળખાવેલું છે. કેમકે એ કાળે પાવા નામે ત્રણ નગરીઓ મેજુદ હતી. એક ગેરખપુર જિલ્લામાં કુશીનારાની પાસે જ્યાં આજે પડોનાની પાસે “પપહેર” નામક ગામ છે, તે પાવા નામે પ્રસિદ્ધ હતું. બીજી પાવા હજારીબાગની આસપાસના પ્રદેશમાં–જે ભંગી અથવા ભાગે દેશના નામે પ્રસિદ્ધ આર્ય દેશોમાંને એક હતેતેની રાજધાની હતી. ત્રીજી પાવા ઉપર્યુક્ત રાજગૃહની સમીપે હતી, જે ભગવાન મહાવીરના નિવાણથી પુનિત બની હતી.
ત્રીજી પાવાથી પહેલી પાવા વાયવ્ય ખૂણામાં અને બીજી અગ્નિખૂણામાં હતી. આ બંનેની વચ્ચે લગભગ સમાન અંતરે આ ત્રીજી પાવા હેવાથી તે “મધ્યમા–પાવાના નામે પ્રસિદ્ધ હતી. બોદ્ધ ગ્રંથમાં પહેલી પાવાને ઉલેખ ક્યાંઈથી મળી આવતા નથી. આ કારણે જ આજના સંશોધક વિદ્વાને માત્ર બે પાવાઓનું નિરૂપણ કરે છે. જેન અને બૌદ્ધ સાહિત્યને સમન્વય કરતાં પાવા નામની ત્રણ નગરીઓની સાબિતી મળે છે.
જૈન શાસ્ત્રોમાં ત્રીજી પાવાનું “અપાપાપુરી” એવું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org