________________
ગુણાયા અંગીકાર કરી હતી. મહાવીર ભગવાનના અગિયાર ગણધરોએ ગુણશીલક ચિત્યમાં અનશનપૂર્વક નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ સ્થળ ઉત્તર-પશ્ચિમ દિશામાં હતું.
એ જ ગુણશીલવાન આજે “ગુણાયાજી” નામે ઓળખાય છે. એ પુણ્યસમૃતિઓની યાદ આપતું, એક સોહામણા સરોવરની વચ્ચે નાજુક બાંધણીની સુંદર આકૃતિથી આપતું જિનમંદિર ઊભું છે. મંદિરમાં જવા માટે કઠેડાબંધી પાજ (પલ) બાંધે છે. આ સથળ અત્યારે રાજગૃહથી દક્ષિણ-પૂર્વમાં છે. અસલના ચિત્યનું કેઈ નિશાન અત્યારે હયાત નથી.
મંદિરમાં મૂ૦ ના શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. તેની આજુબાજુમાં ભ. મહાવીર અને ગૌતમ ગણધરની પાદુકાઓ વિરાજમાન છે. બંને ઉપર અનુક્રમે સં. ૧૯૮૬ અને સં. ૧૬૮૮ ના લેખે છે. મંદિરની બહાર ચારે ખૂણામાં છત્રીઓ ઊભી છે. અનિપૂણાની છત્રીમાં ૨૦ તીર્થકરેની શ્યામવણ પાદુકાઓ, વાયવ્ય ખૂણાની છત્રીમાં શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા, નેત્રાત્યાની છત્રીમાં શ્રીષભદેવ ભગવાનની અને ઇશાનખૂણાની છાત્રીમાં શ્રીવાસુપૂજય ભગવાનની પાદુકાઓ બિરાજે છે.
અહીં નાની પણ સારી ધર્મશાળા છે. દિગંબરાએ હમણાં જ નવું મંદિર બંધાવ્યું છે.
અહીંથી રાજગૃહી પહાડના રાતે ૧૨ માઈલ દૂર છે. રાજગૃહી માટી નગરી હતી ત્યારે તેના સીમાડા અહીં સુધી લંબાયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org