________________
૨૬. કાકંદી
લછવાડથી ઈશાન ખૂણામાં ૧૨ માઈલ દૂર ગાડા શરતે કાકંડી” નામનું નાનું ગામ છે. ગામની એક બાજુએ શાંત અને શીતળ વાતાવરણ જમાવી બેઠેલું તળાવ છે, તેના કિનારે વિશાળ જગાને ઘેરી વળેલું કાટથી સુરક્ષિત શ્રીપાશ્વ નાથ ભગવાનનું મંદિર ઊભું છે. આ મંદિર સોળમા સૈકામાં અંધાયેલું છે. કોટને ફરતી નાની એવી ધર્મશાળા છે.
કાકંદીમાં શ્રીસુવિધિનાથ ભગવાનનાં ચાર કલ્યાણકે થયેલાં હોવાથી તેમની ચરણપાદુકાઓની સ્થાપના અહીં કરેલી છે. આજે જેને કાકંદી કહેવામાં આવે છે તે તો ધના અગારની કાકંદીના નામે ઓળખાય છે. આ ધના તે શાલિભદ્રના બનેવી ના શેઠ નહિ પરંતુ બીજા જ હોવા જોઈએ.
જેને શાસ્ત્રોમાં કાકંદીના નામે જે ઘટનાઓ વર્ણવેલી છે તે તો ઉત્તર ભારતવર્ષમાં ક્યાંક હતી. ભગવાન મહાવીરના વિહાર વર્ણનથી જણાય છે કે, કાકદી ઉત્તર ભારતવર્ષમાં પ્રાચીન પ્રસિદ્ધ નગરી હતી. ભગવાન મહાવીરના સમયે ત્યાં જિનશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની બહાર સહસામ્રવન નામે ઉદાન હતું. ભગવાન મહાવીર અહીં અનેકવાર પધાર્યા હતા. ભદ્રા સાર્થવાહીના પુત્ર ધન્ય અને સુનક્ષત્રે અહીં ભગવાન મહાવીર પાસે શ્રમણુધર્મની દીક્ષા અંગીકાર કરી હતી. ભ૦ મહાવીરના શિષ્ય ક્ષેમક અને તિધર ગૃહસ્થાશ્રમમાં અહીંના રહેવાસી હતા.
૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ’ ૪ પૃષ્ઠ 8 તીફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org