________________
પૂ. ભા. જે તીર્થભૂમિએ બૌદ્ધગ્રંથમાં આને જ્ઞાતિકા, નાતિકા અથવા નાતિકાના નામે ઉલલેખ કર્યો છે. કયાં ક્યાંઈ આને નાદિકા પણ કહેવામાં આવેલ છે.
મહાપરિનિમ્બાસુરમાં મહાત્મા બુદ્ધના અંતિમ વિહાર સ્થળની પરિગણના કરવામાં આવી છે, તદનુસાર મહાત્મા બુદ્ધના રાજગૃહથી કુશીનારાના વિહારમાં કોટિગ્રામ અને વૈશાલી વચ્ચે “નાદિકા છે, જે વૈશાલીથી બરાબર પહેલે પડાવ છે અને “મહાપરિનિઆણુના ચીની અનુવાદ અનુસાર આને વૈશાલીથી ૭ “ડી” એટલે ૨ માઈલ દૂર હોવાનું કહેવામાં આવ્યું છે. આથી જ ક્ષત્રિયકુંડ વૈશાલીની નજીક હતું એમ સપ્રમાણ બંધબેસે છે અને ઐતિહાસિક દષ્ટિએ પણ નિર્દોષ ઠરે છે.
બસાઢમાં ખેદકામ કરતાં ઈ. સ. પૂર્વેની કેટલીક વસ્તુઓ મળી આવી છે. ખાસ કરીને કેટલીક મહારે, જેન મૂર્તિઓ બોલ મૂતિઓ વગેરે મળી આવ્યાં છે. અશોકસ્તંભ જે બસાડ પાસે આવેલા બખા ગામમાંથી મળી આવ્યા છે, તેને પણ આમાં સમાવેશ થાય છે.
સંશોધકોએ નક્કી કરેલા આ “ક્ષત્રિયકુંડ પ્રદેશ માટે હજી શાસ્ત્રીય શોધ કરવાની બાકી રહે જ છે. શાસ્ત્રીય આધારોને સામે રાખી લછવાડના પ્રદેશને ચકાસી જવામાં આવે તે જ સાચો ક્ષત્રિયકુંડને પત્તો લાગી શકે, એવી મારી માન્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org