SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્ય સાંભળી તે નિન્હો બોધ પામ્યા અને પોતાનો કદાગ્રહ છેડી Wવીર મુનિ-ગુરૂદેવ પાસે આવી આલોચના કરી શુદ્ધ થયા. એ ત્રીજો અવ્યકલ વાદી નિન્હવ જાણ. વીર સં. ૨૧૫ઃ સ્થળિભદ્ર સ્વામીનું વર્ગારોહણ, આર્ય મહાગિરીને આચાર્ય પદ. ૯ નવમી પાટ પર શ્રી મહાગિરી સ્વામી બિરાજ્યા. એ મહાપુરુષ ૩૦ વર્ષ સુધી ગ્રહવાસમાં રહ્યા પછી દીક્ષા ગ્રહણ કરી. ૪૦ વર્ષ સુધી ગુરૂ ભક્તિ કરી બહુસૂત્રી થયા. ૩૦ વર્ષ આચાર્ય પદવી જોગવી. એકંદર સો વર્ષનું આયુષ્ય ભોગવી વીરાત્ ૨૪પમાં તેઓ સ્વર્ગે પધાર્યા. વીરસં. ૨૨૦ : અશ્વમિત્ર નામને ક્ષણિકવાદી નિન્દવ થયે. તેનું કારણ શ્રી આર્ય મહાગિરીને કોડલ નામે શિષ્ય હતો. અને તેમને “અલ્પમિત્ર” નામે શિષ્ય હતો. તે મથુરા નગરીમાં અભ્યાસ કરતો. તેમાં દશમાં પૂર્વની પૂણ” નામક વસ્તુ ભણતાં એવો વિચાર ઉદ્ભવ્યો કે - जे पडुपन्न समय निरया सव्वेबोय समय वित्छी, जस्संति एवं आय विमाणीयाणं પર્વ નિતા સમયે થાયરમ વિરછ મવત્તિ અર્થ–પડુપન્ન એટલે વર્તમાન કાળના જે નારકી છે તે બીજે સમયે, વિછેદ-વિનાશ પામે છે. એટલે પ્રથમ સમયના નારકીની જે પર્યાય હતી તે વિછેદ થાય. અને બીજે સમયે પર્યાય વિશિષ્ટ થાય. ઉપરનો પાઠ પર્યાય પલટવા વિષેને છે. તેનો ભાવાર્થ નહિ સમજવાથી જ્ઞાનાવરણીય કર્મના ઉદયે અવળી ઘેડ બેસી ગઈ; જેથી ગુરૂદેવે તેને સમજાવવા ઘણે પ્રયત્ન કર્યો, પણ તે સમજ્યો નહિ. તેથી ગુરૂએ તેને ગ૭ બહાર કર્યો. ગચછ બહાર મૂકાયા પછી તે ઉસૂત્ર પ્રરૂપવા લાગ્યા કે –જે જીવ પ્રથમ સમયે પાપ કરે છે તે બીજે સમયે નાશ પામે છે. તેમજ પૂણ્ય કરે છે તે પણ નાશ પામે છે. આ પ્રમાણે પ્રરૂપણ કરતો તે વિચરવા લાગ્યો. એકદા પ્રસ્તાવે તે ફરતો ફરતો રાજગૃહી નગરીમાં આવ્યો. ત્યારે તે ગામના રાજાને દાણી, શ્રાવક હોવાથી, તે સાધુને પ્રતિબોધ આપવા માટે પકને માર મારવા લાગ્યું, ત્યારે સાધુએ કહ્યું કે-હું સાધુ છું અને તમે શ્રાવક છે, છતાં મને કેમ મારે છે ? ત્યારે દાણીએ પ્રત્યુત્તર આપે કે – તમે સાધુ છો એ તે વિચ્છેદ ગયા. હવે સાધુ છે એમ કેમ કહેવાય? આ પ્રત્યક્ષ પ્રમાણથી સાધુ સમજી ગયા કે ખરેખર મને પોતાને અવળી ઘેડ બેઠી હતી તે બેટી છે. એવો વિચાર કરી તે ગુરૂ પાસે આવ્યા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy