SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ને વિચાર ઉદ્દભવ્યું કે મહારા શિષ્ય હજુ અજ્ઞાન છે. તેઓ બીચારાને વિદ્યા દાન કેણ આપશે ? એમ અનુકંપા આવવાથી પુનઃ તે પોતાના મનુષ્ય કલેવરમાં આવ્યા અને પૂર્વની જેમ શિષ્યને વિદ્યાદાન આપવું શરૂ કર્યું, આ વાતની શિસ્પેને ખબર પડી નહિ; કેમકે રાત્રીએ તેઓ દેહ છેડી ગયા, અને તરતજ પછી તેમાં આવી ઉપસ્થિત થયા. આ રીતે મુનિપણામાં વિચરતા અને શિષ્યોને વિદ્યાદાન આપતા રહેતા થકા જ્યારે શિષ્યને સર્વથા અભ્યાસ પૂર્ણ કરાવ્યા, ત્યારે તેઓએ પાછા દેવ તરીકે પ્રગટ થઈને પિતાના પૂર્વ મરણની વાત શિષ્યોને કહી; અને તે સર્વ શિષ્ય મુનિઓને “મિરામિકકડે ? (પ્રાયશ્ચિત) લેવાનું કહ્યું. એટલું કહી તે આચાર્ય તે પોતાના દેવસ્થાનકે ચાલ્યા ગયા. પાછળથી શિષ્યને શંકા પડી. એ શંકા એવા રૂપમાં ઉપસ્થિત થઈ કે એક બીજા યુનિઓ અરસપરસ એક બીજાને વંદણું નમસ્કાર ન કરે. સૌ કોઈ શંકાને આધીન થયા કે રખે કેઈ કાળ કરી ગયેલા મુનિએ પુનઃ સાધુ શરીરમાં પ્રવેશ કર્યો હોય, એટલે વાસ્તવિક રીતે તે “સાધુ છે કે દેવ” એમ ચોકકસ કહી શકાય નહિ. જ્યાં સુધી તે ચોક્કસ ન કહી શકાય ત્યાં સુધી સાધુ-મુનિને પણ વંદણ કેમ કરાય? કેમકે રખેને તે દેવ હોય, અને મૃત કલેવરમાં પ્રવેશ કર્યો હોય ! તો દેવ કે જે અવૃત્તી, અપ્રત્યાખાની છે; તેને સંયમ ધારી વંદન કરી શકે નહિ. એથી તે મિથ્યાત્વ અને મૃષાવાદને દેષ લાગે. આમ સૌ કેઈએ નિર્ણય કરી–શકા સેવી એક બીજાને વંદન કરવાનું છોડી દીધું અને તેજ પ્રમાણે પ્રરૂપણ કરતા વિચારવા લાગ્યા. (આનું નામ અવ્યક્ત વાદી નિન્હવ. ) તેઓની વિપરીત શ્રદ્ધા જાણું ગીતાથી–બહુ સૂત્રી સાધુઓ હતા, તેઓ સર્વ ભેગા થયા અને આ અવ્યક્ત વાદીઓને સમજાવવા લાગ્યા કે –ોઈ દેવ સાધુને વેશ ધારણ કરી, પંચમહાવૃત, સમિતિ, ગુપ્રિ સહિત શુદ્ધ વ્યવહારે મુનિપણે પ્રવર્તતો હોય અને તેવા સ્વરૂપે દેખવામાં આવે તો તેને વાંદવાથી મિથ્યાત્વ કે મૃષાવાદ નજ લાગે. કેમકે જૈન શાસનને વિષે તે બાહ્યથી વ્યવહાર બલિષ્ઠ છે. ઈત્યાદિ ઘણું દષ્ટાંતો આપ્યા, પરંતુ તેઓ સમજ્યા નહિ તેથી તે સર્વ અવ્યક્તવાદીઓને તથા તેની શ્રદ્ધાવાળાઓને ગ૭થી બહાર મૂકયા. તે નિન્હ વિહાર કરતા કરતા એકદા રાજગૃહી નગરીએ આવ્યા, તે વખતે ત્યાંના બળભદ્ર રાજાએ તેઓને પ્રતિબોધવા અર્થે ચાકર પુરૂષ પાસે બાંધી મંગાવ્યા. ત્યારે અવ્યક્તાદિ સાધુઓ બોલ્યા કે હે રાજન ! તમે શ્રાવક થઈને સાધુઓને મારે છે તે ગ્ય નથી. રાજાએ કહ્યું કેણ જાણે કે તમે સાધુઓ છે કે ચાર છે ? કિવા અમે શ્રાવક છીએ કે દેવતા છીએ ! આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy