SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારપછી વિશાખાચાર્ય આદિ બાકી રહેલા સર્વે મુનિઓ દક્ષિણ દેશ તરફથી વિહાર કરી મગધ દેશમાં આવ્યા. એ વખતે મગધ દેશમાં સ્થલીભદ્ર આચાર્ય આદિ મુનિવરે વસ્તીમાં વસતા હતા. કારણકે પ્રથમ જ્યારે તેઓ વસ્તીની બહાર ઉદ્યાન–બગીચા આદિ સ્થળે રહેતા હતા, ત્યારે તો તેઓને સર્વ પ્રકારની અનુકુળતા રહેતી; પરંતુ ભયંકર દુષ્કાળના પરિણામે બહાર રહેતાં નિર્દોષ આહાર પાણી ઈત્યાદિ મેળવવામાં તેમજ અન્ય એવી કેટલીક બાબતોમાં તેઓને મુશ્કેલીઓ આવવા લાગી અને સંયમ નિર્વાહમાં ખલના થવા લાગી, આથી તેઓ સર્વ નિર્જન સ્થાનનું અવલંબન છોડી શ્રાવક સમુદાયના અતિ આગ્રહથી વસ્તીમાં રહેવા લાગ્યા; મગધ દેશના મુનિઓને વસ્તીમાં વસેલા જોઈ દક્ષિણ વાસી મુનિઓએ તેમને કહ્યું કે મુનિઓએ વસ્તીમાં રહેવું ઉચિત નથી. આ સાંભળી વસ્તીવાસી મુનિઓએ કહ્યું- હે! મહાનુભાવ! વીતરાગ દેવનો માર્ગ એકાન્ત નથી, પણ અનેકાન્ત છે. કેમકે આચારાંગ, સ્થાનાંગ, તથા નિશિથ આદિ સૂત્રોમાં મુનિઓને વસ્તીમાં ઉતરવાની ના કહેલ નથી તેમજ શ્રી રાયપ્રશ્નીય સૂત્રમાં કેશીકુમાર શ્રમણે ચિત્ત સાથીને કહ્યું હતું કે –જે કે મારી પાસે આવે તો તેને હું બુઝવી શકું. આ વાકય પરથી પણ સમજાય છે કે વસ્તીમાં નિર્દોષ ઉપાશ્રયમાં રહેતાં (ઉતરતાં) મુનિઓને હરકત નથી. માટે વસ્તી બહાર રહેવું જોઈએ એવો એકાન્તવાદ ન સ્થાપી શકાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈને વર્તવાથી સંયમને નિર્વાહ સારી રીતે થઈ શકે છે. અને વિતરાગની આજ્ઞાનું વિરાધન થતું નથી. માટે આપ ગામમાં-ઉપાશ્રયમાં પધારો. આ પ્રમાણે શ્રી સ્યુલીભદ્રજીએ નમ્રતાપૂર્વક આગ્રહથી કહ્યું, પરંતુ વિશાખાચા હઠવાદ પકડ હતું, તે ન મૂકે. અર્થાત્ તેઓ વસતીમાં આવ્યા નહિ, એટલું જ નહિ પણ જે વસ્તીમાં ઉતરવાની માન્યતાવાળા સુનિઓ હતા, તેઓથી જુદા પડયા અને જુદા મત સ્થાપન કર્યો. એટલે જૈન સાધુ સમુદાચમાં બે મત પડયા. ૧ વસતીવાસી ૨ વનવાસી. એમ કેટલેક વખત આ રીતે બે મત રહ્યા, પરંતુ ત્યારપછી વનવાસી મુનિએ પણ કાળક્રમે વસતી વા સી થઈ ગયા. જૈન મુનિઓને ઉત્સગે તો વસતી બહાર રહેવું જોઈએ. કારણ કે બહારનું વાતાવરણ સ્વચ્છ હવાથી મુનિ ધર્મ પૂરતી રીતે જાળવી શકાય છે. ગામમાં તો સ્ત્રી પુરુષના અતિ સહવાસે, અને મલિન વાતાવરણે આત્મ શુદ્ધિમાં અને સંયમ નિર્વાહમાં અડચણ ઉભી થાય છે. એથી જૈન મુનિએ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy