SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ ફેરફારો થયા તથા તેમના પછી જે જે મહાપુરુષા થયા, તે સની ઐતિહાસિક નોંધ ‘પ્રભુવીર પટ્ટાવલી’ના નામાભિધાનથી આ નીચે આપીયે છીએ, તે લાપૂર્વક વાંચી પૂર્વ પુરુષોના ઉજવળ ચિત્રા પર વિવેકપૂર્વક દષ્ટિ ફેરવી જવા વિજ્ઞપ્તિ કરીએ છીએ. વીર સ. ૧ ગૌતમસ્વામીને કૈવલ્પજ્ઞાન, સુધ સ્વામીનુ પટારાહણુ અને જભુસ્વામી તથા પ્રભવ સ્વામીની દીક્ષા. વીર સ. ૧૨ ગૌતમસ્વામીનું મેક્ષગમન, સુધ સ્વામીને કૈવલ્યજ્ઞાન અને જંબુસ્વામીનુ પટારાણ, વીર સં. ૨૦ સુધર્માંસ્વામીનું મેાક્ષગમન, જંબુસ્વામીને કૈવલ્યજ્ઞાન, અને પ્રભવસ્વામીને યુગ પ્રધાનપદ. વીર સ. ૬૪ જંબુસ્વામીનું મેાક્ષગમન, શય્યંભવાચાર્યની દીક્ષા. ૩ ત્રીજી પાટ પર શ્રી પ્રભસ્વામી, 66 "C 6 વિધ્યાચળ પર્વતની તળેટીમાં જયપુર નામનું નગર હતું. ત્યાં કાત્યાયન ગોત્રી “ જયસેન ” નામે રાજા રાજ્ય કરતા. તેને બે પુત્ર હતા. માટાનું નામ પ્રભવકુમાર ” નાનાનું નામ વિનયધરકુમાર. '' પ્રભવકુમારની વર્તણુક અનિષ્ટ અને પ્રજાને દુ:ખપ્રદ હતી. ખરાબ મિત્ર!ની સેાખતમાં રહી તે વસ્તીમાં વારંવાર પેાતાના દુષ્કર્મ વડે ત્રાસ વર્તાવતા, આથી પ્રજાએ રાજા પાસે જઈ ફરિયાદ કરી. જયસેન રાજા પ્રભવકુમારની આવા પ્રકારની વર્તણૂકથી ખેદ પામ્યા; અને ગુસ્સે થઇને તેણે તેને દેશપાર કરી, ન્હાનાપુત્ર · વિનયધર ” ને રાજ્યાસન પર સ્થાપ્યા. આથી પ્રભવકુમાર ક્રોધિત બની વનમાં ચાલ્યા ગયા; તેવામાં તેને ત્યાં ભીલપલ્લીના અધિપતિ ભીમસેન ” મળ્યા. અનેને પરસ્પર વાર્તાલાપ થતાં મિત્રાચારી થઈ. ભીમસેન તેને પેાતાની પલ્લી (ચાર લેાકાને રહેવાનું ગુપ્ત સ્થાન) માં લઇ ગયા. ત્યાં અનેક ચારાના સહવાસમાં રાખી તેને ચૌય કળા આદિમાં પ્રવીણ નાન્યે. એટલે તે પણ અન્ય ચારા સાથે મેટી માટી ચારીએ કરવા લાગ્યા. એવામાં તે ચારસેનાના અધિપતિ “ ભીમસેન ”નું મૃત્યુ થયું એટલે સર્વ ચેારાએ મળી પ્રભવકુમારને પેાતાના અધિપતિ મનાવ્યેા. એકદા તે પ્રભવ ચાર પેાતાની સાથે બીજા ૫૦૦ ચારાને લઇ જ ખુકુમારના લગ્નને દિવસે તેને ત્યાં ચારી કરવા આવ્યે. અને સૂતેલા સ લેાકેાને પેાતાની પાસેની ૮ અવસ્વાધિની ’ વિદ્યાના અંગે નિદ્રાધિન મનાવી પુષ્કળ દ્રવ્ય એકઠું કરી ગાંસડીએ બાંધી; પણ જ બુકુમારના ચારિત્રના ખળે તે ઉપડી શકી નહિ; એટલે તે પ્રભવકુમાર જંબુસ્વામી પાસે આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy