SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરને નિર્વાણ મ. બુદ્ધના મૃત્યુ પહેલાં થયો હતે. એથી ભ. મહાવીરને નિર્વાણકાળ એમણે ઇ. સ. પ૭ વર્ષ બરાબર ગયો છે. શ્રી જિનસેનાચાર્ય હરિવંશ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે શક સંવત ૬૦૫ પહેલાં અર્થાત્ પર૭ વર્ષ પૂર્વે મહાવીર સ્વાચીને મોક્ષ પ્રાપ્ત થયો. આ સ્થળે એક અગત્યની વાત લખવા જેવી છે તે એ કે ભગવાન મહાવીર મેક્ષ પધાર્યા તે અગાઉ “શક ” નામના ઇંદ્ર આવી પ્રભુ મહાવીરને પૂછયું કે પ્ર ! શ્રીમાનના જમ નક્ષત્ર પર ત્રીસમે “ભસ્મગ્રહ” જે બે હજાર વર્ષની સ્થિતિનો બેઠે છે, તો તે વ્રતુનું ફળ એમ સૂચવે છે કે બે હજાર વર્ષ સુધી આપના શાસનમાં રહેલા ચતુર્વિધ સંઘની ઉત્તરોત્તર ઉન્નતિ થવાને બદલે ક્રમે ક્રમે અવનતિ થશે તે આ ગ્રહગ છે, માટે હે દીનદયાળ પ્રભો ! આપશ્રી જે બે ઘડી આયુષ્ય લંબાવે તે એ ગ્રહ શાસનને નડતર રૂપ થશે નહિ. આ સાંભળી પ્રભુ મહાવીરે તેને ઉપદેશ આપતાં કહ્યું -“હે ઇંદ્રદેવ, કોઈ પણ મનુષ્યનું આયુષ્ય વધા વધી શકતું નથી, તેમ ઘટાડયું ઘટી શકતું નથી, તે હું તે કઈ રીતે વધારી શકું! ભાવી બળવાન છે. તેને મિથ્યા કરવા કઈ સમર્થ નથી. માટે શેચ કરો નકામો છે, પણ જે, તે ગૃહને બે હજાર વર્ષને કાળ પૂર્ણ થયા પછી એક મહાન પ્રબળ, ધર્મ ધુરંધર દ્ધો પ્રગટ થશે અને મહારા શાસનને તથા જૈનધર્મના સત્ય તને પ્રદિપ્ત કરશે.” વીર જીવનની દુક નેધ અને નિન્હવ. ચાલુ અવસર્પિણી કાળના ચોથા આરાના શેષ ૨૫૦ વર્ષ રહ્યા, ત્યારે ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે ગયા હતા, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર વચ્ચે ૨૫૦ વર્ષનું અંતર હતું. ચતુર્થ આ પરિસમાપ્ત થવાને પંચોતેર વર્ષ અને સાડા આઠ માસનો સમય બાકી હતો, તે વખતે પ્રભુ મહાવીર ગર્ભમાં આવ્યા હતા. સમકિત (સમ્યકત્વ) પ્રાપ્ત થયા વિના કેઈ જીવને ઉદ્ધાર થતો નથી. સદેવ, સદગુરૂ અને સધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા થવી, તેની રુચિ થવી, તેમાં પૂર્ણ રસ અનુભવે; અને પછી આત્માના મૂળ ગુણની વિકાસ શ્રેણિ પ્રાપ્ત થવી તેને જૈન દર્શનમાં સમ્યકત્વ કહેવામાં આવે છે. એ સમ્યકત્વ આત્માને પ્રગટ થયા પછી એક, ત્રણ કે પંદર ભવે અને વધુમાં વધુ અર્ધ પુગળ પરાવર્તન જેટલા કાળમાં જીવને મોક્ષ થઈ જાય છે. આવાં સમકિતના અભાવે પ્રભુ મહાવીરનો જીવ અનંતકાળ સુધી આ સંસારમાં રખડ હતો. પ્રત્યેક જીવ અનંતકાળથી સંસારમાં પરિશ્રમ કરે છે. એવું એક પણ સ્થાનક નહિ હોય કે જ્યાં જીવાત અનેકવાર જન્ડા લીધે નહિ હોય. એવી એક પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy