SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનપ્રવચનમાં આત્માના પરિપુઓ બતાવ્યા છે જેવાં કેક-ક્રોધ, માન, માયા, લેભ, રાગ, અને દ્વેષ. જયાં સુધી એ બધાયે દુર્ગુણનો વંસ જીવાત્મા ન કરી શકે, ત્યાં સુધી તેની મુક્તિ સંભવે નહિ. પ્રભુ મહાવીરના વ્યક્તિત્વ પ્રત્યે શ્રી ગૌતમ (ઇંદ્રભૂતિ ) ને અતીવ રાગ હતો, ત્યાં સુધી તે કર્મમૂક્ત થઈ શક્યા નહિ. અને જ્યારે ભગવાન મહાવીર અપાપા નગરી કિંવા પાવાપુરીમાં કાર્તિક વદી અમાવાસ્યા (ગુજરાતી) એ નિર્વાણ પામ્યા; તેજ વખતે શ્રી ગૌતમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. અંતિમ સમયે શ્રી મહાવીરે છત્રીસ પ્રહર સુધી એક ધારી ધર્મદેશના આપી હતી, જેના સારભૂત તનું આજે આપણે અવલંબન લઈ રહ્યા છીએ. ભગવાન મહાવીરને નિર્વાણુ સમય. કૈલોકય સાર” નામક ગ્રંથમાં જૈનાચાર્ય શ્રી નેમિચંદ્રજી લખે છે કે:ભગવાન મહાવીરના નિર્વાણુથી ૬૦૫ વર્ષ અને ૫ મહિના પછી શક રાજા થશે. અને તેના ૩૯૪ વર્ષ પછી કલિક થયો. એથી એમ માની શકાય છે કે શક સંવતથી ૬૦૫ વર્ષ પહેલા ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા. શક સંવતને પ્રારંભ સન્ ૭૮ થી થાય છે, એટલે ભગવાન મહાવીરની નિર્વાણ પ્રાપ્તિ ઈ. સ. પૂર્વે પ૨૭ વર્ષમાં થઈ હતી. જે સમસ્ત જૈન સંપ્રદાય એ પ્રમાણે આજે માને છે. આ મતની પુષ્ટિ અન્ય ગ્રંથ પણ કરે છે. આર્ય વિદ્યા સુધાકરમાં ઉલ્લેખ છે કે રાજા વિક્રમાદિત્યથી ૪૭૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીર મોક્ષે ગયા હતા. શ્લેક – તતઃ સ્જિનાત્ર મારતે વિક્રમપુર खमुन्य बोधि विमते वर्षे वीराब्धयोनरः॥१॥ प्रचारज्जैनधर्म बौद्धधर्म समप्रभम् રાજા વિક્રમાદિત્યનો સંવત ઈ. સ. પૂર્વે પણ વર્ષથી પ્રચલિત થયો છે એ પ્રકારે પણ ભગવાન મહાવીરનો મોક્ષ સમય ઈ. સ. પૂર્વે પ૨૭ સાબીત થાય છે. આ વાતની વધુ પુષ્ટિ દિગમ્બર આસ્નાયની સરસ્વતી નામક ગચ્છની પટ્ટાવાળી પરથી થાય છે. જેનો ઉલ્લેખ મી. હૈર્નલે કર્યો છે. પટ્ટાવળીની ભૂમિકામાં લખ્યું છે કે –“ બહરિ શ્રી વીરસ્વામી; મુક્તિ ગયે પીછે ૪૭૦ વર્ષ ગયે પીછે શ્રીમહારાજા વિક્રમકા જન્મ ભા.” અહિંયા મહાત્મા બુદ્ધને મૃત્યુકાળ ર્ડો. જે. એફ ફીટને ખૂબ મનન કરી તા. ૧૩ ઓકટેબર ઈ. સ. પૂર્વે ૪૮૨ નિશ્ચિત કરે છે, અને ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy