SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકૃષ્ણને સે. શ્રી કૃષ્ણ લવણ સમુદ્રના દેવનું આરાધન કરવા માટે એકાન્તમાં જઈ અઠમ પૌષધ તપ કર્યું. આ તપના પ્રભાવે ત્રીજા દિવસની મધ્યરાત્રિએ તે દેવ આવ્યો અને શ્રી કૃષ્ણ મહારાજાની ઈચ્છાનુસાર શ્રમણ દેવના આદેશ બાર યોજન લાંબી અને નવા જન પહોળી એવી દ્વારિકા નગરી વસાવી દીધી. તેથી સર્વ જાદવો તે નગરીમાં રહેવા લાગ્યા. યદુવંશના શ્રીકૃષ્ણ મહારાજા દ્વારિકા નગરીનું રાજ્ય કરે છે, એ વાતની જરાસંઘને ખબર પડવાથી તે લશ્કર લઈ દ્વારિકા પર ચડી આવ્યું. શ્રીકૃષ્ણને પણ ખબર પડવાથી વિશાળ સૈન્ય લઈ લડવા માટે તે સામે ગયે બંને લશ્કરો ભેટયા અને મહાન યુદ્ધ થયું. આ યુદ્ધમાં જરાસંઘને પરાજય થયો અને તે મરણ પામ્યું. તેના ત્રણે ખંડે શ્રીકૃષ્ણને સ્વાધીન થયા અને ત્યારથી તે વાસુદેવ તરીકે ઓળખાયા. શ્રીકૃષ્ણના ભાઈ અને સમુદ્ર વિજયના પુત્ર શ્રી નેમિનાથ બાળ બ્રહ્મચારી હતા તે મહાબલિષ્ટ હતા. એકવાર તે પોતાના કેટલાક સેબતી સાથે રમતા રમતા શ્રી કૃષ્ણની આયુદ્ધશાળામાં જઈ ચડયા. ત્યાં વાસુદેવને (શ્રીકૃષ્ણ ) પંચજન્ય શંખ પડયો હતો તે શંખ શ્રી નેમિનાથે વગાડયે તેને નાદ સાંભળીને રાજસભામાં બેઠેલા કૃષ્ણ વાસુદેવ ચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા – અહો !! કોઈ બીજે વાસુદેવ ઉત્પન્ન થયે કે શું ? આ મારો શંખ વાસુદેવ સિવાય બીજા કોઈથી વગાડી શકાય તેમ નથી. તો આ શંખ વગાડનાર કોણ! તે જ વખતે તપાસ કરાવતાં તેમને માલમ પડયું કે શ્રી નેમકુમારે તે શંખ વગાડે છે. આથી શ્રી કૃષ્ણને શંકા ઉદ્દભવી કે ખરેખર, આ નેમકુમાર મારાથી વધારે બળવાન છે, માટે રખેને તે મારું રાજ્ય લઈ લે; માટે તેનું બળ કઈ રીતે ઘટાડવું જોઈએ, અને તે બળ ઘટાડવાનો માત્ર એકજ ઉપાય છે અને તે એ, કે તેને કોઈ કન્યા સાથે પરણાવું. એમ મનમાં નિશ્ચય કરી નેમ મારની ઈચ્છા નહિ છતાં, ઉગ્રસેન રાજાની પુત્રી શ્રી રાજેમતી સાથે તેમને વિવાહ નક્કી કર્યો. માતાપિતાની આજ્ઞાને આધિન થઈ નેમકુમાર રથમાં બેસી યાદના પરિવાર સહિત પરણવા ચાલ્યા. ત્યાં ઉગ્રસેન રાજાના મંદિર (જુનાગઢમાં હાલ ઉપરકેટ છે તે સ્થળ) પાસે પહોંચતા એક મકાનમાં હરિણ, રેઝ, બકરાં, પાડા, વગેરે પશુઓ અને અસંખ્ય પક્ષીઓ વધ કરવા માટે પૂરેલાં હતાં, જેમને કરૂણુ પોકાર (કંદ) શ્રી નેમિનાથે સાંભળ્યો; આથી તેમનું દયાળુ હદય દુઃખથી કંપી ઉઠયું. તરત જ તેમના મુખમાંથી નીચેના શબ્દો નીકળી પહયા:અહાહા ! હું એક પરણીશ ત્યારે આ બિચારા અસંખ્ય અવા પ્રાણીઓને વધ થશે! અરે, ધિક્કાર છે મારા તે પરણેતરને ! એકના ક્ષણિક સુખને માટે અસંખ્ય જીની હત્યા મને સ્વીકાર્ય નથી, મહારે આ લગ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy