SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકીજી પાસે મૂક્યા. આ બાળકોને કસે શીલા સાથે પટકી ફેંકી દીધા. વસુદેવ અને દેવકીજીને ઘણું દુઃખ થયું. પણ ઉપાય ન હતો. એક દિવસની મધ્યરાત્રીએ દેવકીજીએ સાત સ્વના દીઠા; તેથી આનંદ પામી તેણે મન સાથે નિશ્ચય કર્યો કે કઈ મહાન જીવ પોતાના ઉદરમાં આવી ઉત્પન્ન થયો છે. આ વાત તેણે વસુદેવને કહી અને તે સાથે આજીજી પૂર્વક માગી લીધું કે કેઈપણ રીતે આ બાળકનું રક્ષણ થવું જ જોઈએ. યથાસમયે બાળક (કૃષ્ણ) અવતરતાં વસુદેવ કંસના ભયથી ગુપ્ત રીતે તે પુત્રને શેકુલમાં લઈ ગયા અને નંદ નામના ગોવાળીયાને ઘેર તેની સ્ત્રી જસેદાને ઉછેરવા માટે સેંચો. કૃષ્ણકુમાર દિનપ્રતિદિન ત્યાં વૃદ્ધિ પામવા લાગ્યા. તેને અસ્ત્ર, શર, વિદ્યાદિ કળા શીખવવા માટે બળભદ્રજી બ્રાહ્મણના વેશે ત્યાં આવ્યા અને શ્રી કૃણુને સર્વ વિદ્યામાં પારંગત બનાવ્યા. અનુક્રમે ઉમ્મરમાં વૃદ્ધિ પામતાં શ્રી કૃષ્ણ સેળભે વર્ષે અરિષ્ટ બળદાદિ ચેષ્ઠમલને વધ કર્યો, અને કાળીનાગને ના. (વશ ક) એ રીતે નાની વયમાં તેમણે મહાન પરાક્રમ બતાવ્યું. છેવટે જ્યારે તેમને પોતાની ખરી સ્થિતિનું ભાન થયું ત્યારે તેઓ એકદમ ક્રોધાયમાન થઈ ગયા અને પોતાના છ છ બંધુને મારનાર અને પોતાના માતાપિતાને દુઃખ આપનાર મામા કંસનું વેર લેવાનો નિશ્ચય કર્યો. ત્યાંથી તે મથુરામાં આવ્યા અને કંસને વધ કરી ઉગ્રસેન રાજાને પિંજરામાંથી કાઢી ગાદી પર બેસાડયા. પછી સત્યભામાને પરણી તેઓ સૌરીપુર આવ્યા. પશ્ચાત્ કંસની સ્ત્રી જીવયશા રોતી રોતી રાજગૃહીએ ત્રિખંડાધિપતિ (પ્રતિ વાસુદેવ ) પોતાના પિતા જરાસંઘ પાસે આવી અને કંસના વધની વાત કરી. તરતજ જરાસંઘે ક્રોધાયમાન થઈ શ્રીકૃષ્ણ અને બળભદ્રને પકડી લાવવા માટે પોતાના પુત્ર કાલીકુમારને લશ્કર લઈ મ . સમુદ્રવિજય મહારાજા તથા વસુદેવજી વગેરે સર્વ જાદ સૌરીપુર આવ્યા. પરંતુ તે વખતે અષ્ટાંગ નિમિત્તના જાણનાર એક નિમિત્તિયાએ કહ્યું કે –હે રાજન, આ ભૂમિ આપને માટે દુ:ખ કર્તા છે માટે અહિંથી દક્ષિણ દિશા તરફ ચાલ્યા જાવ. અને જ્યાં સત્યભામાને પુત્રને પ્રસવ થાય ત્યાં જ પડાવ નાખજે. નિમિત્તિયાનું આ વાકય સાંભળી સર્વ જાદ ત્યાંથી રવાના થયા અને ઠેઠ ગીરનાર પર્વતની તળેટીમાં આવ્યા, ત્યાં સત્યભામાને પુત્રને પ્રસવ થયો. તેની વધાઈ મળતાં તેઓએ ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો, પરંતુ વગડામાં કેમ રહેવાય? તેથી ત્યાં ગામ વસાવવાની જરૂર છે, એમ ધારી રાજ્યનો સર્વ ભાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy