SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ચૌદમા શ્રી અનંતનાથ તીર્થકર થયા. અયોધ્યા નગરીને વિષે, સંઘસેન રાજા પિતા, સુજશા દેવી રાણી માતાની કુંખે જમ્યા, ૩૦ લાખ વર્ષનું આયુષ્ય, તેમાં સાડાસાત લાખ વર્ષ કુંવર પણે રહ્યા, પંદર લાખ વર્ષનું રાજ્ય પાળ્યું, સાડાસાત લાખ વર્ષની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી ત્રણ મહિને કેવલ્યજ્ઞાન ઉપવું, કૈવલ્યજ્ઞાન ઉપયા પછી ઘણું ભવ્ય જીવોને સબોધ આપી, તારી સાતસેં સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-ક્ષ પધાર્યા. શ્રી અનંતનાથ તીર્થંકરના સમયમાં મધુ નામે પ્રતિ વાસુદેવ ત્રિખંડાધિપતિ થયા હતા, તથા પુરૂષોતમ નામે વાસુદેવ અને સુપ્રભ નામે બલદેવ થયા, તેઓ પ્રતિ વાસુદેવને પરાજય કરી ત્રિખંડાધિપતિ થયા હતા. ચૌદમા અનંતનાથ તીર્થકર મા પધાર્યા પછી, ચાર સાગરને આંતરે પંદરમાં શ્રી ધર્મનાથ તીર્થકર થયા. રત્નપુરી નગરીને વિષે, ભાનુ રાજા પિતા, સુત્રતાદેવી રાણી માતાની કુંખે જમ્યા. દશ લાખ વરસનું આયુષ્ય, તેમાં અઢી લાખ વરસ કુંવરપણે રહા, સાડાછ લાખ વર્ષનું રાજ્ય પાલ્યું, એક લાખ વર્ષની પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી બે મહિને કેવલ્યજ્ઞાન ઉપજયું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને સધ આપી, તારી આઠ સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ મેક્ષ પધાર્યા. પંદરમાં શ્રી ધર્મનાથ તીર્થકર થયા. તેમના સમયમાં નિશુંભ નામે પ્રતિવાસુદેવ ત્રિખંડાધિપતિ થયા હતા, તેનો પરાજય કરી રાજ્ય લેનાર પુરૂષસિંહ નામે વાસુદેવ અને સુદર્શન નામે બલદેવ થયા હતા. ઉપરાંત શ્રી ધર્મનાથ પ્રભુના સમયમાં, મઘવા નામે ચક્રવતી છખંડાધિપતિ થયા હતા. તથા સનંતકુમાર નામે ચોથા ચક્રવત પણ થયા હતા. પંદરમા શ્રી ધર્મનાથ તીર્થકર મોક્ષ પધાર્યા પછી ત્રણ રાગર તેમાં પણ પલ્યને ઉણે આંતરે સેલમાં શ્રી શાન્તિનાથ તીર્થકર થયા. હસ્તિનાપુર નગરને વિષે વિશ્વસેન રાજા પિતા, અચિરા દેવીરાણી માતાની કુંખે જમ્યા, તેમના જન્મ પહેલાં તે દેશમાં મારી (મરકી)ને ઘણે ઉપદ્રવ હતું; પરન્તુ તેમને જન્મ થયા પછી તે ઉપદ્રવ શાન્ત થવાથી તેમનું ગુણ નિષ્પન્ન શાન્તિનાથ નામ પાડયું હતું. તેઓશ્રીનું એક લાખ વરસનું આયુષ્ય, તેમાં પ લાખ વર્ષ કુંવરપણે રહ્યા, પ લાખ વરસનું રાજ્ય પાટું, તે સમયે આયુદ્ધશાલામાં ચકરત્ન ઉત્પન્ન થવાથી છ ખંડ સાધ્યા, પા લાખ વર્ષની ચકવતીની પદવી ભોગવી. પા લાખ વરસની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી એક મહિને કૈવલ્ય જ્ઞાન ઉપજયું, કેવલ્ય જ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને સદ્ધ આપી તારી નવસે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–સેક્ષ પધાર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy