SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ શ્રી બહષભદેવજીએ વૈરાગ્ય પામી જ્યારે આત્મસાધના કરવા દીક્ષા અંગિકાર કરી ત્યારે વનિતા નગરીની ગાદી તેમણે પોતાના વડીલ પુત્ર ભરતને સોંપી હતી, તે ભરતજીએ શુદ્ધ નીતિથી રાજ્ય ચલાવ્યું હતું, તથા ચક્રવતીની પદવી સંપાદન કરી હતી, તેમણે પોતાના પિતા રાષભદેવ સ્વામીને ઉપદેશ સાંભળીને જૈનધર્મને ઘણેજ ફેલાવો કર્યો હતો. દયામય જૈનધર્મ ફેલાવવા માટે તેમણે એક વિશાળ ભેજનશાળા સ્થાપી હતી, તેમાં શ્રાવકને પિષવા (જમાડવા ) માંડયા હતાં, જેથી દિન પ્રતિદિન ભજન કરનારાઓની સંખ્યા વધી જવાથી રસોડાના ઉપરીએ ચકવતીને જણાવ્યું કે જમનારાઓ ઘણાજ આવતા હોવાથી તેમાં શ્રાવક કેણ છે અને અશ્રાવક કોણ છે તે સમજાતું નથી. એ પ્રમાણે અરજ કરી, તે અરજ પ્રત્યે ધ્યાન દઈ ભરત રાજાએ રસોડાના ઉપરીને આજ્ઞા ફરમાવી કે જે જે મનુષ્ય જમવા આવે તેમને પૂછવું કે તમે શ્રાવક છે ? તમે કેટલા વ્રત આદર્યો છે અને કેટલા વ્રતો પાળે છે? જવાબમાં તેઓ કહે કે અમે એ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર વત અંગિકાર કર્યા છે અગર કહે કે અમોએ અમુક અમુક બતે અંગિકાર કર્યા છે. તો તેમને મારી પાસે લાવજે. આ આજ્ઞાને અનુસાર આવનાર મનુષ્યને પૂછવામાં આવતું અને તેના જવાબમાં તેઓ કહે કે અમે બાર વ્રત ધાર્યા છે અર્થાત્ વ્રતો અંગિકાર કર્યો છે. તે તેઓને ભરત રાજા પાસે તેડી લાવતા. તે વખતે ભરત રાજા તેમની પરીક્ષા લઈ અશુદ્ધિ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, રૂપ ત્રણ ચિન્હવાલી ત્રણ રેખા (કાંગણી રત્નથી નિશાની) કરતા, એ પ્રમાણે ખરા શ્રાવક થયેલા તેને ત્રણ રેખા નિશાની રૂપ કરતા, અને તે રેખાવાલાઓને જ જમાડતા, અર્થાત્ તે રેખાવાલાજ ભેજનશાલાએથી ભેજન મેળવી શકતા–અને રડે જ્યારે જમવા આવે ત્યારે સુખેથી ઉચ્ચાર કરતા કે “ જમવાન વયે મય તમામદન મારિ ?? એ પ્રમાણે વર્તતા થકા અનુક્રમે તેઓ “ જાન ” એટલે હિંસા ન કરવી એવો હમેશાં પાઠ કરતા હતા. આગળ ચાલતાં તે “ના ” શબ્દનો પાઠ કરનારા શ્રાવકો “બ્રાહ્મણ'ના નામથી ઓળખાવા લાગ્યા. અને માંગણી રત્નની રેખાઓ તે યજ્ઞોપવિત જઈ રૂપે થઈ. ભરત રાજાના પુત્ર સેનાની જનોઈ કરી પહેરાવી, ત્યાર પછી રૂપાની અને છેવટે સુતરની જનેઈ કરી પહેરાવી. એ ઉપરથી સાબીત થાય છે કે પ્રથમ શ્રાવકો હતા તે કાલકામે શ્રાવક ભૂલાઈને બ્રાહ્મણે પોતાને સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલા ગણવા લાગ્યા. જૈન સિદ્ધાન્તમાં પણ “મા” શબ્દથી બ્રાહ્મણોને ઓળખાવ્યા છે. બ્રાહ્મણ શબ્દ સંસ્કૃત છે અને પ્રાકૃત વ્યાકરણમાં “વંમા” તેમજ “માં ” ના સ્વરૂપથી સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy