SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તેજ વખતે ઈન્દ્રમહારાજે આવી ત્રાષભદેવને રાજ્યાસને બેસાર્યા અને સહુને વસવાને માટે વનિતા નગરી વસાવી આપી. રાષભદેવે રાજ્યની લગામ હાથમાં લીધા પછી, અનુકંપા નિમિત્તે યુગલીયાઓને સ્ત્રીની ચોસઠ કલા, અને પુરૂષની બહોતેર કલા અને અસી–મસી ને કૃપી એ ત્રણ પ્રકારના વ્યાપાર વગેરેની લાએ શિખવી, તેથી તે ચુગલીયાએ તે રસ્તે પ્રવર્તાવા લાગ્યા. સઠ લાખ પૂર્વનું રાજ્ય પાળી છેવટે સંસાર અસાર જાણી શ્રી રાષભનાથે ચાર:હજાર પુરૂષ સંઘાતે દીક્ષા અંગિકાર કરી અને તેઓ પૃથ્વી પર વિચરવા લાગ્યા. પરંતુ યુગલીક ધર્મના નિવારણ સમયે તેમણે બેલને મેઢે છીંકલી બંધાવેલ તેને કાર્ય પૂર્ણ થયે છોડી નાખવી એવું કહેવાનું તેઓ ભુલી ગયેલા; તેથી બેલેને બાર ઘડી સુધી ખેરાક પાણી ન મળ્યો. તે કારણે અંતરાય કર્મ બંધાણું, તે કર્મ દીક્ષા લીધા બાદ તરત જ ઉદય આવ્યું તેથી બાર મહીના સુધી કોઈ પણ સ્થળેથી તેમને નિર્દોષ આહાર પાણી ન મળે; જેથી તેમની સાથે ચાર હજાર સાધુ હતા તે ભુખ્યા રહો શકયા નહીં. આથી કેટલાક ભાગી ગયા. કેટલાક બાવા, અતિતાદિ થઈ પિતાને નિર્વાહ કરવા લાગ્યા. પરંતુ મરીચિકુમાર વિચાર કરવા લાગ્યો કે હું ભરતરાજાને પુત્ર અને દાતાને પૌત્ર થઈને હવે જે ગૃહવાસમાં જાઉં તો મારું કુલ લાજે, માટે ઘેર તે જવું જ નહીં આથી તે ત્રિદંડી તાપસ થયો. અને છેવટે તેણે એક “કપિલ” નામે શિષ્ય કર્યો. પાછળથી તે કપિલે સાંખ્ય મત કાઢયે. અર્થાત્ ચલાવ્યું. અપભદેવપ્રભુએ અંતરાયકર્મ પૂર્ણ થયા બાદ બાર મહીને શ્રી શ્રેયાંસકુમારને હાથે પ્રથમ ઇક્ષુ (શેરડી) રસનું પારણું કર્યું, ત્યાર પછી તેમને પ્રાણુક અન્નપાણી મલવા લાગ્યા. એક હજાર વર્ષ સુધી તેઓ છમસ્થ પણે વિચર્યા. પ્રવર્ચી લીધા પછી એક હજાર વર્ષે કેવલ્યજ્ઞાન ઉપર્યું, ત્યાર બાદ જૈનધર્મ સંબંધી શુદ્ધ દયામય ઉપદેશ દેવા લાગ્યા. તે સમયના મનુષ્ય પ્રાયે કપટ રહિત અને શુદ્ધ અંતઃકરણવાળા હોવાથી તેઓના હદયમાં જનધર્મની દયામય લાગણીની ઉંડી છાપ પડતી હતી. ઋષભદેવ પ્રભુએ ઘણુ કાળ સુધી જૈનધર્મને ઉપદેશ આપી એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, ઘણું ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો, અને ત્રીજા આરાના ત્રણ વર્ષને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે અષ્ટાપદ પર્વત ઉપર એક માસને સંથારે કરી માઘ વદિ તેરસને દિને અભિજિત નક્ષત્રે દશ હજાર સાધુ સંઘાતે સમાધિગે તેઓ મોક્ષ પધાર્યા. સર્વ આયુષ્ય ચારાશી લાખ પૂર્વનું હતું. સાંખ્ય મતની ઉત્પત્તિ. સાંખ્ય મતની ઉત્પત્તિ વિષે “દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ ભાગ ૧ લે” છપાયેલ છે તેમાં લખેલ છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy