SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ આ ઉપરાંત બાળદીક્ષા, સાધુ સમાચારી, એકલવિહાર. પ્રતિક્રમણ વગેરેના અનેક પ્રસ્તાવો મૂકાયા હતા, તેમાં કેટલાક પાસ થયા, કેટલાક ગોળમટોળ રહ્યા અને કેટલાક ઉડી ગયા. ટુંકમાં આ સંમેલને કાંઈક ઠીક કામ કર્યું કહી શકાય, પરંતુ જે મહાન ફેરફારો કરવાના ઉદ્દેશથી, સમાજમાં જે નવચેતન ભર્યું વાતાવરણ જમાવવાના હેતુથી સંમેલન મળ્યું હતું તે સંપૂર્ણ રીતે સફળ ન નીવડયું એમ મારે દીલગીરી સાથે કહેવું જોઇએ. ખરી વાત તે એ હતી કે અમુક અમુક સંપ્રદાયવાળાને પોતાના મતાગ્રહ છોડવાની કે પોતાની પરંપરાથી વિરૂદ્ધ વર્તવાની લેશ પણ ઈછા ન હતી, એટલું જ નહિ પણ એક બીજા સાથે વર્ષોથી જુદું પડેલું હૃદય તાત્કાલિક સંધાવું લગભગ અશક્ય થઈ પડયું હતું. જેના પરિણામે જ કેટલાક પ્રસ્તાવ પાસ થઈ શકયા ન હતા. આમ છતાં, મારે બેધડક આનંદ સાથે કહેવું જોઈએ કે અમુક સંપ્રદાય સિવાયના બીજા ધણ સંપ્રદાયે વચ્ચે એકમેકના પ્રેમનો જે સાક્ષાત્કાર થયે; એકબીજાના જ્ઞાન, દિયા, આચાર વિશેષ આદિની જે માહિતી મળી, તે ખરેખર અદભૂત અને અવર્ણનીય હતી. કયાં કાઠીયાવાડ અને કયાં પંજાબ, કયાં દક્ષિણ અને કયાં મારવાડ. એમ ભારત ભરના મહાવીરના એ ત્યાગધારીઓનું તે વખતનું સંગઠ્ઠન કોઈ અલૌકિક હતું. આ બધે લાભ “બૃહસાધુ સંમેલન' ને લીધે જ થયો. નહિ તો એકમેકના આવા પ્રેમનો, એક અપૂર્વ સમાગમને આવો લાભ ક્યાંથી મળવા પામત? આ બધું આપણી કોન્ફરન્સ અને સાધુ સંમેલનના બુદ્ધિશાળી અને વિશાળ દષ્ટિ કાર્યકર્તાઓના શ્રમનું જ સુંદર પરિણામ હતું. એમ કહેતાં સંકોચ ન થવો જોઈએ. પરંતુ જે ઉદ્દેશે અજમેરમાં સાધુ સંમેલન થયું. તે ઉદેશ સફળ રીતે પાર ન પડે તેનું એકજ કારણ હતું. તે એ કે જે સંપ્રદાય શિરોમણિઓએ “ સમાજને હાલ શેની જરૂર છે, સમાજ શું ઇચ્છે છે?” એ તરફ લક્ષ આપ્યું હોત, અને એકતરફી સંપ્રદાયના કલેશ પરત્વે વધુ સમય ન વેડફ હોત, તો પરિણામ ધણું સુંદર આવત, એમ મારે માનવું છે. ખેર ! થયું તે ખરું, કહેવત છે કે “અત શોપિ ગત વાતને શેક ન કરતા હવે તે સમાજ અને સાધુઓને ઉત્કર્ષ કેમ થાય તેજ શોધવું અને તે શોધ્યા પછી તે રસ્તે પ્રવર્તન કરવા પ્રયત્નશીલ રહેવું એ જ ઉચ્ચતર છે. ઉન્નતિના ઉપાયો પરત્વે પ્રથમ તે મારે એટલું જ કહેવાનું કે – હાલનો સમાજ, જૈનાચાર્યોના મૂળ ઉદેશને ભૂલી ગયો, અને ચતુર્વિધ સંધ જૈન શાસનની સેવા માટે સમયને માન આપી શકો નહિ. તેથી પૂર્વાચાર્યોના મહાન પરિશ્રમે, તેમના કર્તવ્ય ઉદેશાને ભૂલવાથી આધુનિક જૈન વસ્તીમાં ઘટાડો થતો ચાલ્ય. એટલું જ નહિ પણ જૈન ધર્મને પાળનારાઓમાંથી પણ શાસન સેવાની ધગશ, ધર્મ પ્રેમ આદિ પ્રતિદિન એકસરતાં ગયાં. પર્વતનું એક મોટું શિખર હોય અને તે પડવાથી જેમ તેના ખંડેખંડ થઈ જાય. તેમ એકવાર વિશ્વવ્યાપી બની રહેલો “ જૈન ધર્મ ” આજે અધઃપતનની નીચી ભૂમિકાએ અવલોકી શકાય છે. આ પ્રકારની જેનોની અવનતિ થવાનાં અનેકાનેક કારણો પરત્વે થોડાંક અહિ આપું છું –અજ્ઞાન, દ્વેષ, કુસંપ, ધર્મક્રિયાના મતભેદોથી ઉઠતાં કલેશ, ગ૭ના મતભેદો, ખંડન મંડનના ઝગડાઓ, સંકુચિત માનસ, જે વખતે જે ક્ષેત્રની પડતી દેખાતી હોય, તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy