SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ આવ્યું; તે સાથે એવી ભલામણ કરવામાં આવી કે-જ્યાં સુધી કોન્ફરન્સ કમિટિ ચંદ્ર દર્શન, ચંદ્ર સૂર્ય ગ્રહણ આદિ ગો બતાવી જેન જ્યોતિષ આધારે સંપૂર્ણ જૈન પંચાંગ સંતોષપ્રદ રીતે તૈયાર ન કરે ત્યાં સુધી સૌએ પરંપરા અનુસાર વર્તવું. એ પ્રમાણે કહી તિથિ નિર્ણાયક સાધુ સમિતિએ તે કાર્ય કોન્ફરન્સને સંપ્યું, જે કામ માટે કોન્ફરન્સના સુકાનીમાનનીય શ્રી હેમચંદભાઈ રામજીભાઈ મહેતા અને અન્ય સુલેહઈચ્છક આગેવાનો ભારે પરિશ્રમ સેવી રહ્યા છે, તે ખરેખર આપણું સમાજ માટે ગૌરવવંતુ કાર્ય છે. બીજા પ્રસ્તાવમાં કેળાં, કીસમીસ, લીલી દ્રાક્ષ, અંગુર, બરફ વગેરે વસ્તુઓ સચેત છે કે અચેત ? એ પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો, તેના નિર્ણય માટે પણ એક કમિટિ જવામાં આવી હતી. તેમાં પણ કેટલીક ચર્ચાઓ ચાલ્યા બાદ વિદ્વાન પ્રોફેસરોના અભિપ્રાય વગેરે મેળવી જાહેર કરવાનું કાર્ય કોન્ફરન્સને સુપ્રત કરવામાં આવ્યું હતું, જેને યોગ્ય નિર્ણય વિદ્વાન અનુભવીઓ દ્વારા કરી શ્રી સ્થા. કેન્ફરન્સે સાપ્તાહિક મુખપત્ર “જેન પ્રકાશ” માં પ્રસિદ્ધ કર્યો હતો, સચેત અચેતના નિર્ણયનું આ કામ શ્રી કોન્ફરન્સે સરસ રીતે પાર પાડયું એમ કહેવું જોઈએ. વચ્ચે વચ્ચે જેન મુનિઓના આચાર વિષયક પ્રશ્નો ચર્ચાતા હતા, અને તે બહુમતિએ પસાર થતા હતા. પંજાબમાં વિચરતા પૂ. શ્રી નાથુરામજી મ. ના પ્રશિષ્ય મુનિ શ્રી કુન્દનમલજી મ. વગેરે, જેઓ હાલ “અજીવ પંથી” સમુદાયના નામથી ઓળખાય છે, તેમના તરફથી એક મહત્ત્વને પ્રસ્તાવ * મૂકવામાં આવ્યું હતું તે એ કે – પ્રશ્ન ૧ લો - શ્રી પન્નવણ સૂત્રના નવમા પદમાં ત્રણ પ્રકારની યોનિ બતાવી છે તેના નામઃ-સચિત, અચિત, અને મિશ્ર. એ ત્રણે પેદા થઈ શકે છે કે નહિ ? પ્રશ્ન ૨ઃ-ધાન્ય વર્ગમાં ચોવીસ પ્રકારનું ધાન્ય બતાવ્યું છે. અને જેનું આયુષ્ય ૩ વર્ષથી સાત વર્ષનું કહ્યું છે તે નિયમિત આયુષ્યવિધિ બાદ સચિત સમજવું કે અચિત સમજવું ? પ્રશ્ન ૩ જે—પાંચ સ્થાવરમાં એક જીવ રહે છે કે નહિ? અને જો એક જ જીવ રહે છે તો તેની આહારવિધિ શું ? આ પ્રસ્તાવની ચર્ચા માટે સાત જણની એક કમિટિ નીમવામાં આવી હતી. તેમાં બહુમતિએ ( છ વિરૂદ્ધ એકમતે ) નીચેને નિર્ણય કરવામાં આવ્યો હતે. ૧ સચિત્ત અચિત્ત અને મિશ્ર એ ત્રણે યોનિઓથી જીવ પેદા થઈ શકે છે. ૨ ચોવીસ ધાન્યના બીજ શાસ્ત્રીય પ્રમાણુથી ૩ વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે અબીજ થઈ શકે છે. તથા નિઓને વિધ્વંસ થાય છે. આથી અયોનિ અને અબીજ ધાન્ય અચિત હોવાનો સંભવ છે. ક શાસ્ત્રમાં “ધીય વિચાર વિધ્વંતો વિદે” ઇત્યાદિ સ્થાનમાં બીજના સંગઠ્ઠનને સૂત્રકાર નિષેધ કરે છે. પણ અબીજનો તે નહિ તેથી અબીજને અચિત માનવું આગમ પ્રમાણુથી સિદ્ધ થાય છે, પરંતુ લેકવ્યવહાર માટે સંઘટો ટાળવો એ વધુ ઉચિત છે. આ પ્રમાણે “ અજીવ પંથી ” ને ફેંસલો થવાથી પંજાબમાં તે સંબંધી કલેશ ચાલતો હતો તે બંધ પાડો. એ પણ આ ઉજવળ પ્રસંગની એક સુમધુર લહાણું કહેવાય. * આ પ્રસ્તાવને બહુમતિ નિર્ણય કબુલ કરવાનું પોતે વચન આપ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy