SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ કરવા માટે મહાપ્રયાસે જ્યોતિષ ગણિતના આધારે “ શ્રી વર્ધમાન જેન તિથિ પત્રિકા ” નામક પ્રશંસક પુસ્તિકા બનાવી. જે પુસ્તિકામાં ચાતુર્માસ, વિહાર આદિ વિધ વિધ બાબતોને ઉલ્લેખ હતો; તે તિથિ પત્રિકાના નિયમ મુજબ વર્તવાનું પુજ્યશ્રીએ પિતાની સંપ્રદાયમાં ચાલુ કર્યું. પરંતુ હંમેશા બધા મતો એકત્ર નથી હોતા. એથી આનું પરિણામ એ આવ્યું કે પુજ્યશ્રીને આ નિર્ણય કેટલાકને “ જ્યોતિષ શાસ્ત્ર” ની વિરુદ્ધ લાગ્યો. પરિણામે તેમના સંપ્રદાયમાં બે વિભાગો પડી ગયા. અને સાધુ-સાધ્વીઓમાં તેમજ શ્રાવક વર્ગમાં ઘણે કલેષ ઉત્પન્ન થયો. આ કારણથી બંને પક્ષને સમજાવવા માટે સ્થા. જૈન કોન્ફરન્સના નેતાઓ પુજ્યશ્રી પાસે વારંવાર જઇ વિનંતિ કરવા લાગ્યા; પરંતુ તેનું પરિણામ સમાધાની રૂપે જ આવ્યું. અને ઉત્તરોત્તર કલેશની વૃદ્ધિ થતી ગઈ. છેવટે સં. ૧૯૮૮ માં શાસનના હિત અર્થે આગેવાન શાંતિ ઇચ્છક નેતાઓ પુનઃ પુજ્યશ્રી પાસે ગયા અને બંને વિભાગોને સમાધાની પર આવવા આગ્રહભરી વિનંતિ કરી. ત્યારે સમયg અને શાસનહિતચિંતક પુ. શ્રી સોહનલાલજી મહારાજે કહ્યું કેઃ સ્થાનકવાસી સમાજના સર્વ સાધુઓને આ મારી “તિથિપત્રિકા” બતાવે. અને જો તેઓ વધુમતે તેને સિદ્ધાંત વિરૂદ્ધ ઠરાવે, તો હું તે પત્રિકા પાછી ખેંચી લેવા તૈયાર છું. (પુજ્યશ્રીનું આ કથન તેમના વિશાળ અને શાંતિ ઈચ્છક હદયની ખાત્રી આપે છે ) આ મુખ્ય કારણ ઉપરાંત બીજ પણ કેટલાંક કાર્યો સાધુ સમાજના પુનરૂત્થાનને માટે અગત્યના હતા. તેથી કોન્ફરન્સના નેતાઓએ તે વાત માન્ય રાખી; અનેક જગ્યાએ ફરી, સંમેલનનું વાતાવરણુ જમાવ્યું, અને આપણે તે મેળવવા ભગીરથ પ્રયત્ન પણ સફળ થયા એ આપણું ઈતિહાસને એક તેજસ્વી પ્રસંગ છે. - સંમેલનની બેઠકમાં પ્રથમ પ્રશ્ન “ તિથિ નિર્ણય' પરત્વે મૂકાયો. તેમાં ઘણી ચર્ચા થઈ. અને ઘણા સંપ્રદાયને એવો મત થયો કે સિદ્ધાંતને આગળ રાખી પ્રત્યેક સંપ્રદાયને એક સરખી રીતે અનુકુળ આવે તેવો નિર્ણય થાય તોજ દરેક માન્ય રાખી શકે. આ પત્રિકામાં પૂજ્યશ્રીએ જો કે અથાગ પરિશ્રમ સેવ્યા છે. તદપિ હાલ જૈન તિષનો પ્રાયઃ લેપ (કેટલાક સિદ્ધાંતો વિચ્છેદ ગયા હેઈ ) થએલો હોઈ આ સંબંધી અનેક જ્યોતિષ શાસ્ત્રીઓના અભિપ્રાયથી એકત્ર મત ઉત્પન્ન કર્યા પછીજ ઉકત પત્રિકાને સ્વીકાર થવો જોઈએ. આ પત્રિકા લૌકિક અને પરંપરાથી ભિન્ન માગે પ્રવર્તતી જણાય છે, તેથી તે બધાને અનુકુળ ન આવે તે સ્વાભાવિક છે. આ માટે જેન જ્યોતિષ જ્ઞાનના અનુભવીઓની કમીટી નીમી તે દ્વારા નિર્ણય કરી મધ્યસ્થ માર્ગ સ્વીકારો એ હિતાવહ છે. આ ઠરાવને સર્વ સંપ્રદાયોએ સહાનુભૂતિ આપી. અને પછી તે બાબતની એક કમિટિ નીમવામાં આવી, જેનાં નામે – ૧ ગણિ શ્રી ઉદેચંદજી મ. (પંજાબ) ૫ પ્રવર્તક શ્રી પન્નાલાલજી મ. (મારવાડી) ૨ ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ. (પંજાબ) [ શતાવધાની પં. મુનિ શ્રી રત્નચંદ્રજી મ. યુવાચાર્ય શ્રી કાશીરામજી મ. (પંજાબ) (કાઠીયાવાડ) ૪ મુનિ શ્રી મણીલાલજી મ. (કાઠીયાવાડ) ! ૭ મુનિ શ્રી ચત્રભુજજી મ. (કાઠીયાવાડ) ઉપરના સાત મુનિઓની કમિટિ નીમી તિથિ નિર્ણય કરવાનું કામ તેઓને સોંપવામાં આવ્યું હતું. આ કમિટિ મહા પ્રયત્ન કરી સર્વને સંતેષ ઉપજે તેવો મધ્યસ્થ રસ્તે લઈ સમાધાનીની અણી પર આવેલ, પરંતુ ગમે તે કારણે પાછળથી મતભેદ ઉપસ્થિત થયો, અને તે કાર્ય અધુરૂં રહ્યું. જેથી છેવટે તે કામ કેન્ફરન્સને સોંપવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy