SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૭ રાહ જોઇ રહ્યા હતા. જો કે ઉજજૈનમાં જેનસાધુઓનું આવાગમન અવાર નવાર થતું જ હતું, પરંતુ રામચન્દ્રજી મ. ક્યારે ઉજજૈનમાં પધારે અને કયારે તેઓશ્રીનું વ્યાખ્યાન સાંભળીએ ! એજ ઝંખના ઉજજનવાસીએ તે શું ? ૫રનું ઉજજેનની નિકટના શહેરવાસીઓ પણ સેવી રહ્યા હતા. શ્રી રામચન્દ્રજી મ. ઉજ્જૈનમાં પધારતાં જેનોએ કરેલાં સ્વાગતમાં જૈનેતરાએ પણ સાથ આપ્યો હતો. જેનેરેએ ખાસ ઉપાશ્રયમાં નહિ પરંતુ જાહેર જગ્યાએ રોજ જાહેર પ્રવચનો આપી આખીયે જૈન-જૈનેતર જનતાને લાભ આપવાની પ્રેમ પૂર્વક વિનંતિ કરી, અને તે મુજબ રોજ રસ્તા ઉપરથી પણ આવતી જતી જનતા બરાબર સાંભળી શકે એવી રીતે જાહેર પ્રવચનો થવા લાગ્યાં. રોજ રોજ વ્યાખ્યાનમાં શ્રોતાઓની વૃદ્ધિ થતી જ રહી: નેતાએ કેટલીક પોતાની ધાર્મિક પ્રવૃત્તિ વિષે પ્રશ્નો પૂછયા અને તેનું શ્રી રામચન્દ્રજી મહારાજે સમાધાન કરવાથી, જૈનધર્મ અને જૈન ધર્મ ગુરૂ તેમજ શ્રી વીતરાગદેવ પ્રત્યે તેઓ ભક્તિ સંપન્ન બન્યા. જાહેરમાં આપેલાં વ્યાખ્યાનો ઈતરને કઈ દિવ્ય સંદેશરૂપે ભાસતાં ! જીવનમાં જાણે કદિજ નહિ વિચારેલું, કદિજ નહિ સાંભળેલું, અનુપમ અને અપૂર્વ તત્ત્વનું પોતે પાન કરતાં હોય, એમ લાગતું. અને એ વાત ઈતરના મુખમાંથી વારંવાર નીકળતા પ્રશંસા ભર્યા ઉદગારોથી કેટલાક જૈનધર્માષી, વિન સંતોષી બ્રાહ્મણે ઘણે દેષ ઉત્પન્ન થયો. અને કેટલાક તે કહેવા લાગ્યા કે મહારાજશ્રી કોઈ દૈવી પુરૂષ છે, પ્રભુને સાચે સંદેશે જગતને એજ આપે છે. આવાજ મહાત્માએ જગતના સંતપ્ત આત્માઓને અધ્યાત્મરસનું પાન કરાવી શક્તિ આપી શકે છે. શ્રીમદ્ રામચન્દ્રજી મહારાજનો ત્યાગ, તેમની ક્ષમા, તેમને સંતોષ, તેમનું બ્રહ્મચર્યું. તેમનું નિરાભિમાનીપણું. તેમની પવિત્રતા, સત્યતા, અને તેમનો પ્રભાવ તથા અપૂર્વ બોધ ઇત્યાદિ ગુણોએ અનેક બ્રાહ્મણોને આકર્ષી અને જૈન ધર્મને શુદ્ધ માર્ગ બતાવ્યો તેથી કેટલાક બ્રાહ્મણોને કે અન્ય ધર્મીઓને દેષ થાય તે સ્વાભાવિક હતું. ખરેખર ! જ્યારે માનવનું હોય અન્યના હિતના ભેગે પણ પિતાની સ્વાર્થ સાધના રૂપ બને છે, ત્યારે શાન્તિ સદાને માટે તેનાથી વિદાય લે છે. તેમજ શાન્તિની જગ્યાએ ઠેષ આવીને પોતાનો અધિકાર જમાવે છે. એકવાર જનો અધિકાર જામ્યો કે મનુષ્યની આંખના ચશ્માં ફરી જાય છે. બીજાનું પ્રત્યેક કાર્ય પછી તે શુદ્ધ અંતઃકરણપૂર્વક થતું હેય; છતાં પણ તે તેને બેચેની ઉત્પન્ન કરાવનારું નિવડે છે. આ રીતે કેટલાક બ્રાહ્મણે યુક્તિ પ્રયુક્તિઓ કે દંભ વડે શ્રી રામચન્દ્રજી મહ ને વાદવિવાદમાં હરાવી પોતાનો માર્ગ સરલ કરવા માટે સ્વપ્નાઓ સેવી રહ્યા હતા. તે સમયમાં ઉજજૈનમાં પુનઃ હિન્દુ રાજ્ય તરતમાં સ્થપાયેલું હતું. (પૂજ્ય શ્રી દામૈદાસજી મ૦ ના ટેળાના સવક્તા મુનિશ્રી સૌભાગ્યમલજી મ. ! જે હાલ વિદ્યમાન છે, તેમણે શ્રીમાન રામચન્દ્રજી મ૦ નું જીવન ચરિત્ર આલેખ્યું છે. તેમાં જણાવેલ છે કે-પેશ્વા સરકારના માતાજી તીર્થયાત્રાએ નીકળેલા. ફરતા ફરતા તેઓ ઉજજૈનમાં આવ્યા. તેમની પાસે એક જુનું (જીર્ણ) પુસ્તક હતું. તેમાં પુષ્કળ લેાકે લખેલા હતા. પરંતુ ભાષા વિચિત્ર પ્રકારની હોવાથી સમજી શકાતી ન હતી. તીર્થયાત્રાએ નીકળેલા પેશ્વા સરકારના માતાજી ગામેગામના વિદ્વાનો પાસે તે શ્લોકોનો ભાવાર્થ સમજવા પ્રયત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy