SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ હે ગુરુદેવ! સર્વ ધર્મને પરિચય લઈ સત્ય ધર્મનું ગ્રહણ કરવું યોગ્ય છે. ખરી જિજ્ઞાસા જેને જાગી હોય અને તે જિજ્ઞાસા પ્રમાણે તે પ્રયાસ કરે તે જૈન દીક્ષા દુષ્કર નથી. ગુરૂદેવ ! મારા અંતર નેત્ર ખુલ્યાં છે. હૃદયનો પલટો થયો છે. પૂ. ધર્મદાસજી મ. નો સમાગમ મને ફલિભૂત થયું છે. સ્યાદવાદ પરિણતિ મારા અંતઃકરણમાં પરિણમી ગઈ છે. હું અત્યારે આ વેશમાં છું; છતાં આ૫ માનો કે હું દઢ જૈન થયો છું. મને સમતા ભાવ પ્રગટયો છે. મારા માટે આપ કાયર પુરૂષ જેવા વિચાર ના કરો-કાયરને જૈન દીક્ષા પાળવી કઠીન છે; પણ શૂરવીર પુરૂષને જરા પણ કઠીન નથી. હું આપશ્રીની કૃપાથી અને પૂજ્યશ્રીની અમીદષ્ટિથી જૈનધર્મ આરાધી મારા આત્માને ઉદ્ધાર કરીશ. આ૫ આજ્ઞા આપે એટલે મને સર્વ મળ્યું એમ હું માનીશ. ગોસાંઈ ગુરૂએ રામૈયાને અનેક પ્રકારની કસોટીએ કર્યો પણ રામૈયાની દઢ ભાવના; તેને પૂર્ણ વૈરાગ્ય જેનધર્મની અખંડ શ્રદ્ધા ઇત્યાદિ જોઇને ગેસાંઈજી ગુરૂએ કહી દીધું કે—રામૈયા ! જેમ તારી મરજી હોય તેમ કર, મારી આજ્ઞા છે. ગુરૂ ગોસાંના અમૃત જેવા વચનોથી રામચન્દ્ર પરમ પ્રમોદ પામ્યા. બે હાથ જોડી મસ્તક નમાવી તે કહેવા લાગ્યું કે–હે ગુરૂદેવ ! મારા ઉપર કૃપા કરી ચતુર્વિધ સંધની સમક્ષ આજ્ઞા આપી મને પૂજ્યશ્રીને સુપ્રત કરો-ગુરૂગોસાંઈએ તે પ્રમાણે કર્યું. જૈન સાધુ તરીકેની દીક્ષા ૨૭ વર્ષની ઉમ્મરે સં. ૧૭૫૪ ની સાલમાં શ્રી ધારાનગરી ( હાલ “ધાર” કહેવાય છે) માં પૂ. ધર્મદાસજી મહારાજે પોતાના જ્ઞાન બળથી આ વ્યક્તિ દ્વારા જૈન ધર્મને મહાન ઉદય (માળવા, મારવાડમાં) થશે, એમ જાણું આપી. રામચન્દ્રજી મુનિ પ્રથમથી જ સંસ્કૃતના પ્રખર પંડિત હતા, ન્યાયગ્રન્ય, તર્કગ્રન્યાદિકનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ધારાનગરીના બાદશાહના તે માનવંતા હતા, અને એક શિષ્ટ લોકનેતા પણ હતા. સાધુવ્રત લઇને આત્મસંયમ, ઇન્દ્રિયદમન, વૈરાગ્યવૃત્તિથી તેમણે આજન્મ નૈષ્ઠિક બ્રહ્મચર્ય સેવ્યું અને અનેક પ્રકારના ઉપધાન તપની સાથે ઉંડો શાસ્ત્રાભ્યાસ કરવા માંડયો. પૂર્વ જન્મના સુસંસ્કારથી તીવ્ર સ્મરણ શક્તિ અને ધારણ શક્તિથી અલ્પ પારશ્રમે ગુરૂ પ્રતાપે ઘેડા જ સમયમાં સકળ શાસ્ત્રોનો અભ્યાસ શ્રી રામચંદ્ર મુનિએ કરી લીધું અને તેઓ સમર્થ વિદ્વાન થયા. તેમની વિદ્વતાથી મુગ્ધ થઈ જૈન-જૈનેતર લેકે તેમના ઉપર બહુ ભક્તિભાવ ધરાવતા અને દરેક શાસ્ત્રીય બાબતના ખુલાસાએ તેમની પાસે મેળવી સંતુષ્ટ થતા. તેમના ઉપદેશથી કેટલાક જૈનેતરની પણ જૈન ધર્મ ઉપર પ્રીતિ થઈ હતી. પૂ. ધર્મદાસજી મ. સં. ૧૭૫૯ ની સાલમાં ધારાનગરીમાં સાત દિવસને સંથારો કરી સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. ત્યારબાદ પૂ. રામચન્દ્રજી ભ૦ પ્રથમ મારવાડ–મેવાડ વગેરે દેશમાં ફર્યા બાદ ગુજરાત તરફ પધાર્યા, અને અમદાવાદ વગેરે અનેક મોટા શહેરોમાં તથા આસપાસના ગામડામાં વિહાર કરતાં કરતાં અને દરેક સ્થળે જનતાને સત્યદેવ. સત્યગુરૂ અને સત્યધર્મ અર્થાત ૧૮ દેષ રહિત દેવાધિદેવ, સત્યાવીશ ગુણયુક્ત સાચા ગુરૂ અને કેવળી પ્રરૂપેલે અહિંસામય સાચા સાધમાર્ગ ધર્મનું ભાન કરાવતા કરાવતા શિષ્ય પ્રશિષ્યાદિ સાથે ફરી તેઓ ઉજજેનામાં સં. ૧૭૮૮ ની સાલમાં પધાર્યા. જેન અને જૈનેતરે આ પધરામણીની કાગના ડોળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy