SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ગુરૂનો મારા ઉપર ઘણો જ સ્નેહ છે; તેથી આજ્ઞા મળવી દુર્લભ છે. જે આપના સેવકે સહાય આપે તો હું ગુરૂદેવને સમજાવી આજ્ઞા મેળવી આપને શિષ્ય થાઉં. આ પ્રકારની વાતચિત ચાલે છે, તે સમયે એક શ્રાવક ઉપાશ્રયમાં દાખલ થયેલ. પૂજ્યશ્રીએ તમામ હકીકત શ્રાવકને કહી સંભળાવી–તે આગેવાન શ્રાવકે રામચન્દ્રજીને હિમ્મત આપી, એકાન્ત સ્થાનમાં લઈ ગયા-બીજી તરફ સમય થઈ ગયા, છતાં નગરીમાં ગયેલા રામૈયે હજુ સુધી પાછો કેમ ન આવ્યો ? તેથી તેના ગુરૂ ગોસાંઈજીને ચિંતા થવાથી નગરીમાં તેને શોધવા નીકળ્યા. જે મળે તેને પૂછે કે મારે રામૈયો તમારા દેખવામાં આવ્યો? છેવટે પત્તો મળે કે પ્રાતઃકાળે તે ઉપાશ્રયની બારી બહાર ઉભા રહીને વ્યાખ્યાને સાંભળતા હતા. આથી ગોસાંઈજી ઉપાશ્રયમાં આવ્યા અને રામૈયાની માગણી કરી, પણ બતાવે કોણ ? ઉપાશ્રયમાં આવતા જતાં માણસને પૂછે છે; પણ બોલે કાણ? ગે સાંઈજી તો ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા ઉપાશ્રયના ઓટલા ઉપર બેસી રહ્યા. છેવટે કહ્યું કે એક વખત રામૈયાનું મુખ બતાવો પછી રામૈયાની જેવી મરજી હશે તે પ્રમાણે વર્તવાને હું આજ્ઞા આપીશ. હું વિદન નહિ નાખું. રામૈયાને જૈન દીક્ષા લેવી હોય તો ભલે મારી ના નથી, પણ એક વખત મારે રામૈયે મને બતાવો. આ વાત શ્રાવકે રામચન્દ્રજીને કહી બતાવી. ગુરૂના વચન ઉપર શ્રદ્ધા હતી, તેથી રામચન્દ્રજી ગુરૂ પાસે આવી તેના પગમાં પડે. ગુરૂ-શિષ્ય બને ભેટી પડયા. પ્રેમ પૂર્વક શિષ્યને હાથ પકડી સાંઈજીએ મઠ તરફનો માર્ગ લીધે. મઠમાં દાખલ થયા. અમુક સમય સુધી મૌન રહ્યા. પછી રામચન્દ્રજીએ મૌનનો ત્યાગ કરી ગુરૂની આજ્ઞા લઈ સીધું સામાન લાવી રઈ બનાવી, અને ત્રણ દિવસના ઉપવાસી બંને જણે ભેગા જમવા બેઠા. શાન્તિથી ભોજનનું કાર્ય પૂર્ણ થયા પછી, રામચન્દ્રજી બે હાથ જોડી વિનય સહિત કહે છે કે-હે ગુરૂદેવ ! પૂજ્યશ્રી ધર્મદાસજી મ ની પાસે પરમેશ્વરી પ્રવજ્ય (જેનધર્મની દીક્ષા) અંગીકાર કરવાની મારી ભાવના છે, માટે આપ મને આજ્ઞા આપો. મને સંસાર ઉપર વિરક્તભાવ ઉત્પન્ન થયો છે. આ સાંભળી, રામચન્દ્રજી પ્રત્યે ગોસાંઈજી ગુરૂએ કહ્યું કે- જેન ધર્મની દીક્ષા અવશ્ય કઠીન છે. જેમકે -બરોબર નજર રાખી ડગલું ભરવું, જીવન પર્યંત ઉsણું જળ પીવું, સત્યથી પવિત્ર થયેલું વાકય વદવું, મનની પવિત્રતાપૂર્વક આચારણ કરવું, મન, વચન, કાયાથી અખંડ બ્રહ્મચર્ય પાળવું, શરીરની શુશ્રષાને ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, પગેજ ચાલીને વિહાર કરવો, નિર્દોષ આહાર કરવો, ભૂમિ ઉપર શયન કરવું, અદત ન લેવું, ઉપવાસાદિ કઠીન તપ કરી શરીર શોષવું. રાગ-દ્વેષને જીતવાં, સંસારની અનિત્ય ભાવના ભાવવી, અને યાવત જીવનપર્યત શુદ્ધ વિરાગ્યધારાએ વિચરવું. આ બધું ઘણુંજ કઠીન છે, રામૈયા ! એ બાલકના ખેલ નથી, તલવ રની ધાર ઉપર ચાલવા જેટલું કઠીન છે, માટે હઠ છોડ અને મારી સાથે રહી આનંદ કર. આ નગરીનો બાદશાહ પણ મારે શિષ્ય છે, તે તારી જે ઈચ્છા હશે તે પુરી પાડશે, બાદશાહની આપણું ઉપર પૂર્ણ મહેરબાની છે. એક તે બાદશાહનું માન ! છત્ર, ચામરાદિક વસ્તુને ઉપભોગ જેવા તેવા આત્માને મળતો નથી, તું ખરેખર પુણ્યશાળી છે. માટે બાદશાહ જે બાદશાહે આપણને બહુ માન આપે અને જે જોઈએ તે પુરૂ પાડે, તેને છોડી તું શા માટે અન્ય ધર્મમાં જાય છે ? અહિંજ રહે ખા, પી ને આનંદ કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy