SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ મનમાં દઢ સંકલ્પ કર્યો કે ઉત્તમમાં ઉત્તમ નિરારંભી અને નિષ્પરિગ્રહી જે જૈન ધર્મ ( સાધમાર્ગ ) છે તેજ આત્મકલ્યાણ કરનાર છે. રામચંદ્રજી બાવા સત્યના શોધક હતા, જ્યાંથી મળે ત્યાંથી તે સત્ય સ્વીકારતા, એક દિવસે તે ઉપાશ્રયમાં દાખલ થઇ પૂજ્યશ્રીના પગમાં પડ્યા અને કહ્યું કે ગુરૂદેવ ! હું આપશ્રીનો બાધ હમેશાં સાંભળું છું. આપે ભેગોનો ત્યાગ કરતા શરીરની શુશ્રુષા વર્જવાની છે, તે પર મૃગાપુત્રની કથા વ્યાખ્યાનમાં સંભળાવી, તે મેં સાંભળી અને મારા હૃદયમાં રૂચી ગઈ છે. પરન્તુ આ કાળે સર્વથા ભેગોને ત્યાગ અને શરીરની શઋષા વજિને પ્રવતિ શકાય કે કેમ ? એવી મને શંકા થયા કરે છે. સરલ ભાવી આત્મા છે.” એમ જાણીને પૂજયશ્રીએ કહ્યું કે-હે મહાનુભાવ ! મનુષ્ય આત્મામાં એવું સામર્થ્ય રહેલું છે કે આત્મા આત્માની સમીપ આવતાં માત્ર મુખાકૃતિ, દષ્ટિ કે વાણીથી એવી વિલક્ષણ અસર ઉત્પન્ન કરી શકે છે કે, જે સહસ્ત્ર ગ્રન્થાથી પણ થઈ શકતી નથી. હાલના સમયમાં ત્યાગ વૃત્તિ કઠિન છે, એમ શેકાદગાર કે ઘણીવાર સાંભળવામાં આવે છે, છતાં આમ ખેદ દર્શાવનાર પામર જનેમાંથીજ કેટલાક સ્યાદ્દવાદ સ્વરૂપને નહિ સમજનાર એકાન્તવાદીઓને ગુરૂ કરી માને છે, તથા એવા પુરૂષો પાસેજ શાસ્ત્રનું રહસ્ય હોય છે. એમ અંધ શ્રદ્ધા રાખી વૃથા ભ્રાન્તિમાં ભમે છે. પણ આ જૈન ધર્મ તો અનેકાત માર્ગને પ્રરૂપક છે. દરેક વસ્તુ અનંત ધર્મમય છે, તે સ્યાદ્દવાદ શૈલીથી સમજાવે છે. અને તે અહિંસા, દયા, સત્ય, સંયમ, ત્યાગ, તપ, વીતરાગતા પર રચાયા છે. તેના ધર્મશાસ્ત્રો એ તત્વોનું પ્રતિપાદન કરે છે. કોઈ પણ ધર્મશાસ્ત્ર વાંચવાનીસમજવાની ચાવી એ છે કે જે શાસ્ત્ર વચન સત્યનું, અહિંસાનું કે બ્રહ્મચર્યનું વિધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય, છતાં તે અપ્રમાણ છે. બધાં શાસ્ત્રોનું તાત્પર્ય એ છે કે ગુરૂભક્તિ કરી સમ્યજ્ઞાન મેળવવું અને તે વડે મેક્ષ મેળવો. સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર તેજ કે જેનાથી મુકિત મળે. મેક્ષ કે જેને પરમ ધર્મ કહીએ, તે મેળવવો હોય તો સર્વથા શરીરની શુશ્રુષા અને ભોગોથી વર્તવું જોઈએ. ભોગોમાં અને શરીરની શુશ્રુષામાં રહેલો માણસ મેક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. મોક્ષ પ્રાપ્ત કરવા માટે તો સંપૂર્ણ ત્યાગવૃત્તિ કેળવી સાચો પુરુષાર્થ કરવાની જરૂર છે. - લોકો કહે છે કે સર્વથા ત્યાગ કરવો દુર્લભ છે, પણ તે કાયર આત્માને માટે છે. શૂરવીર ને ધીર આત્માને માટે જરા માત્ર દુર્લભ નથી. કારણકે ત્યાગ એટલે આમાનંદ, આત્મા શૂરવીર થાય તે સુલભ છે. કારણ કે તે પોતાને છે, પણ અનાદિકાળથી અણુઅનુભવેલો તેથી દુર્લભ લાગે છે, પણ આત્મા સમજે તો તે દુર્લભ નથી. પણ સુલભ જ છે. પૂજ્યશ્રીનું આ કથન રામચન્દ્રને રૂછ્યું. તે કહે છે કે–હે ગુરૂદેવ ! વીતરાગભાવ પ્રગટ કરવાની આપે જે રીત બતાવી તે સત્ય છે. તે ભાવ પ્રગટ કરવાની હવે મારી તૈયારી છે. દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ અને કેવલી પ્રરૂપે ધર્મ તથા આપશ્રીને હું મારા અંતઃકરણમાં શ્રધ્ધ છું. આપશ્રીને શિષ્ય થવાની મારી તૈયારી છે. હું આ નગરીના રાજાના ગુરૂ જે ગોસાંઈ બાવા છે તેમનો શિષ્ય છું. મારું નામ રામૈયો છે. મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy