SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ પૂજ્ય શ્રી ધર્મદાસજી મ૦ ના શિષ્ય શ્રી રામચન્દ્રજી મહારાજનું કિંચિત જીવન વૃતાન્ત, તથા શિષ્ય પરિવાર તથા તેઓશ્રીની પાટાનુ પાટ નીચે મુજબ– પૂજ્ય શ્રી રામચન્દ્રજી મ૦ નું જીવન વૃત્તાન્ત દુરાગ્રહરૂપી અંધકારને તેડવામાં સૂર્ય સમાન, હિતોપદેશરૂપી અમૃતના સાગર જેવા ચિત્તવાલા સંદેહના સમૂહને નાશ કરનાર, જિનોએ પ્રરૂપેલા ધર્મની ઘેરીને ધરનાર ધુરંધર, એવા પરમ પવિત્ર પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજે વિક્રમ સંવત ૧૭૧૬ માં દીક્ષા અંગીકાર કરીતેઓશ્રીએ શુદ્ધ ધમ ક્રિયા શીખી લઈ નવતત્ત્વાદિક જૈનદર્શનના પ્રાથમિક મૂલતોને અભ્યાસ કરી લીધો. બત્રીસ સૂત્ર ઉપરાંત અનેક ધર્મગ્રંથો ને ન્યાયગ્રંથોનો અભ્યાસ કરવા સાથે શાસ્ત્ર વિચાર દ્વારા જૈન ધર્મના તને હૃદયગત કર્યા. પછી ઘણુ સ્થળે વિહાર કર્યો. અનેક દેશમાં વિચરી એક વખત ધારાનગરી (હાલ જેને ધાર કહે છે) પધાયાં. ત્યાં ચતુર્વિધ સંઘ વિનય સહિત માનપૂર્વક ઉત્સાહ ભાવે પૂજ્યશ્રીના દર્શન કરી આનંદ પામે. બીજા દિવસે પૂજ્યશ્રીનું વ્યાખ્યાન શ્રવણ કરવા માટે પુષ્કળ માનવ મેદની ભેગી થઈ. પિતાની મધુર વાણીથી વીતરાગ પ્રણત શ્રી મૂલ ઉત્તરાધ્યયન નામના સિદ્ધાન્તનું ઓગણીસમા અધ્યયનનું રહસ્ય વિસ્તાર સહિત લોકો સમક્ષ એસ્ વાણીથી પૂજ્યશ્રીએ પ્રગટ કરવા માંડયું. એક બે કે ત્રણ દિવસની અંદર વૈરાગ્ય ગર્ભિત વાણીના પ્રભાવથી જેન અને જૈનેતર સમૂહ તો આશ્ચર્યચકિત થઈ ગયે. એટલું જ નહિ; પરન્તુ ચોથે દિવસે એક મહાન મઠધારી ગોસાંઈજીના ( એ વખતે ધારાનગરીમાં બાદશાહ હતો; જે આ ગોસાઇને એક એલીયા તરીકે માનતે. તેને ભવિMનો વારસદાર રામચન્દ્રજી નામનો એક બુદ્ધિશાળી શિષ્ય હતે કે જેણે ગુરૂદ્વારા સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય, પંચકાવ્ય ઈત્યાદિક જ્ઞાન મેળવ્યું હતું. તે ગુરૂ શિષ્ય બને નગરીની બહાર મઠ બાંધીને તેમાં જ રહેતા હતા.) રામચંદ્રજી નામના શિષ્ય એકવાર કાર્ય પ્રસંગે નગરીમાં આવતાં, ઉપાશ્રય પાસેથી નીકળતા પૂજ્યશ્રીના વાકચાતુર્યથી રજિત થઈ ઉપાશ્રયની પાછલી બારીએ ઉભા રહી એક ચિત્તે ચાલતું વ્યાખ્યાન શ્રવણું કર્યું માર્ગનુસારી આત્મા પણ જ્યાં ધર્મોપદેશ થતો હોય ત્યાં દોડે અને આત્માને તારવાનો કામી હોય. તેમની કતક ચૂર્ણ જેવી વાણુ વડે નિર્મળ થયું છે અંતઃકરણરૂપ સરોવર જેનું, એવા રામચન્દ્રજી વિચાર કરવા લાગ્યા કે આ અપૂર્વ બોધ આ જન્મમાં તે મેં આજેજ સાંભળ્યું. તેમની વાણીથી પ્રમાદિત થયેલાં કરૂણવંત હૃદયથી તેમના મોક્ષાભિલાષાના પુંજથી ભાવનાવાળી બુદ્ધિવાળા પવિત્રાત્મા અને રૂડા દર્શનવાળે રામચન્દ્રજી તે મહાત્મા શ્રી ધર્મદાસજી મ૦ ના દર્શનને હમેશ બહુ માન તરીકે ગણત અને પ્રાતઃકાલે ઉપાશ્રયની બારી પાસે બહાર ઉભા રહી વ્યાખ્યાન શ્રવણ કરતે. સુધાને પણ કેરે મુકે એવી તેમની વાણીથી આહલાદ અને સંતોષ પામેલા રામચન્દ્રજીએ પોતાના * આ લેખ શ્રી લીબડી સંઘવી ઉપાશ્રયના પૂજ્ય શ્રી મોહનલાલજી મ. ના શિષ્યરત્ન શ્રી કેશવલાલજી મહારાજે સુંદર રીતે લખી મહા આ એતિહાસિક કાર્યને સરસ વેગ આપે છે તે બદલ હું તેમને આભારી છું. લેખક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy