________________
૨૪૪,
ગુજરાતમાં પાટણ મુકામે ચાતુર્માસ રહેલા, તે વખતે ત્યાંના શ્રી. વેરા રતનચંદ લલુભાઈએ ઉક્ત મુનિની મદદથી શ્રી ધનાજી મ. ની પ્રશસ્તી લખેલી તે નીચે પ્રમાણે. ચોપાઈ-ધર્મદાસજી ધર્મને ધારે, બાધ આપી બહુ જન તારે,
થયા શિષ્ય નવાણું સ્વામી, મુનિ કૃત્ય મહાગુણ ગ્રામી. તેમાં બાવીસ પંડિત પ્રમાણે, મહાવિધાન પદે વખાણે,
બહુ પામર જીવ બચાવ્યા, ગામ, નગર પુરમાં ગવાયા. દાહરા –મૂલચંદજી ધર્મદાસના, વડા શિષ્ય ગુણવાન;
ગુજર સોરઠ દેશમાં, કર્યું ધર્મ મંડાણ. ધના ગુરૂભાઈન, કર્યો પૂજ્ય અભિષેક,
વિચરી મરુધર દેશમાં, બુઝવ્યા જન અનેક. પાલણપુરથી ઉત્તર દિશાએ મારવાડમાં પ્રવેશ કરતાં “સાચાર” નામે ગામ છે, ત્યાં વણિક કુળદિપક “વાઘાશાહ” નામના શેઠ રહેતા. તેઓ સર્વ પ્રકારે સુખી હતા. તેમને કુળની વૃદ્ધિ કરનાર માત્ર એકજ પુત્ર હતા. જેનું નામ ધનાજી હતું. બાલ્યાવસ્થાથી જ તેમનામાં ધર્મના સંસ્કારો વિકાસ પામ્યા હતા. એક વાર પુજ્ય શ્રી ધર્મદાસજી મ. ત્યાં પધાર્યા. ધનાજી તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. પુજ્યશ્રીનો અદ્દભુત બોધ તેમના અંતરપટમાં કોતરાઈ ગયા. અને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ. તેથી તેમણે પિતાની અનુમતિ મેળવી સં. ૧૭૨૭ માં દીક્ષા લીધી, ત્યારબાદ સતત શાસ્ત્રાભ્યાસ કરી, ગુરૂ આજ્ઞાએ મારવાડ દેશમાં વિચરવા લાગ્યા.
તેઓ ઉગ્ર તપસ્વી અને ઉગ્ર ક્રિયાધારી હતા. શાસ્ત્રાભ્યાસ શરૂ કરતી વખતે તેમણે એ અભિગ્રહ કરેલ કે શાસ્ત્રાભ્યાસ દરમ્યાન એકજ વસ્ત્ર અને એકજ પાત્ર કપે, અર્થાત્ મળેલ વિવિધ જાતને બધે આહાર એકજ પાત્રમાં ભેગો કરી જમતા, અને માત્ર એક પછેડીથી દેહ આચ્છાદિત કરતા. એ રીતે આઠ વર્ષ સુધી તેમણે ચલાવ્યું, ઉપરાંત તેઓ એકાન્ત ઉપવાસ કરતા, નિદ્રાને ત્યાગ કરી સારી રાત ધ્યાનાવસ્થામાં ગાળતા, એવી વિચિત્ર પ્રકારની તપશ્ચર્યાઓ કરતા તેમણે મારવાડમાં ઘણું જીવોને પ્રતિબધ્યા અને પાછળથી તેઓ માત્ર એકજ પુરી ખાઈને દેહ ટકાવી રહ્યા હતા, તે પણ તેમનું આત્મબળ એટલું મજબુત હતું કે વિહાર કરવામાં તેઓ પછાત ન રહેતા. છેલ્લે તેઓ ““મેડતા” ગામમાં પધાર્યા અને ઘણાઓને જૈનધમાંનુયાયી બનાવ્યા. અહિં તેઓ તદ્દન અશક્ત થયા હતા, તેથી ત્યાંના શ્રાવકના આગ્રહથી ત્યાં તેમને સ્થિરવાસ રહેવાની ફરજ પડી હતી. નવ મહિના સુધી તેમણે છઠને પારણે છઠ કરી શરીર શષવી નાખ્યું. છેક જીર્ણાવસ્થાએ તેમણે પિતાની પાટે પોતાના શિષ્ય શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org