SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ કરવામાંજ આપણે બચાવ છે. એમ વિચારી નમ્રતાથી આજીજી કરી. ત્યારે પારેખે કહ્યું કે રાવશ્રીને કહી તમને હું આ બાજથી બચાવી આપું, પરંતુ તમારે આટલું કામ કરવું પડશે. પ્રથમ તે સ્થાનકવાસી જૈન મુનિઓને આહિયા નહિ આવવા દેવાને પ્રતિબંધ (લેખ) દરબાર પાસે કરાવેલ છે, તે રદ કરાવી તે મુનિઓને ભુજમાં આવવાની છૂટ કરો, અને બીજું એ કે, જે સ્વામીજી અત્રેથી માનકુવે પધાર્યા છે તેમને તમે જાતે માનકુવે જઈ વિનંતિ કરી અત્રે તેડી લાવ! કારભારીની બને આજ્ઞાઓ દેરાવાસી ભાઈઓએ માન્ય કરી. પ્રતિબંધક લેખને દરબારથી રદ કરાવી માનકુવા જઈ સ્વામીજીને વિનંતિ કરી તેઓ ભુજ તેડી લાવ્યા. સ્વામીજી ત્યાં માસક૫ રોકાયા, અને તે દિવસથી સ્થાનકવાસી જૈન મુનિઓને ચાતુર્માસ કરવા માટે ભુજ ક્ષેત્ર ખુલ્લું મૂકાયું. અને કચ્છ રાજ્યના પાટનગરમાં સ્થાનકવાસી જૈનને વિજય વાવટા ફરકાવ્યો, આ વખતે સ્વામીજી કચ્છમાં બે વર્ષ વિચરી અનેક ભવ્યાત્માઓને સન્માર્ગે ચઢાવી કચ્છમાંથી વિહાર કરી ઝાલાવાડ તરફ પધાર્યા. ઝાલાવાડ, કાઠીયાવાડ અને ગુજરાતના તમામ પ્રદેશમાં સ્વામિજી અભ્યાસ મુનિ મંડળને સાથે લઈ વિચર્યો. એટલું જ નહિ પણ માળવા, મેવાડ, મારવાડ સુધી પિતાની વિજયી મુસાફરી લંબાવી. પોતાના જિનાગમ જ્ઞાનદાતા ગુરૂ પરમપકારી પુજ્ય શ્રી દેલતરામજી મ. ના ફરી દર્શન કરવા દૂરના પ્રદેશમાં પધાર્યા અને જયપુર શહેરમાં ચાતુર્માસ તેમની સાથે રહ્યા. સ્વામીજી જ્યાં જ્યાં વિચર્યા, ત્યાં ત્યાં તેમને પ્રતાપરૂપી સૂર્ય આગળથી પ્રકાશી રહ્યો હતો. જેથી જેન જૈનેતર લોકો પર ઘણુંજ આકર્ષણ થતું હતું. સ્વામીજીની શરીર સંપદા ઘણી રૂપવંત અને સુંદર હતી. સ્વભાવે સરલ, ગંભીર અને શાન્ત હતા. સ્વામીજી પાસે જેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હતું તેટલાજ તેઓ ક્રિયામાં ઉત્કૃષ્ટ હતા, તેઓશ્રીનું નિથ જીવન આદર્શ હતું. આચાર્ય મહારાજના છત્રીસ ગુણ અને આઠ સંપદાઓ વડે સ્વામીજી સંયુક્ત હતા. સત્ય, શીલ, ઉપશમ અને સમાધિરૂપ અમૃતરસનું નિરંતર પાન કરતા હતા, અને અન્ય મુમુક્ષુ આત્માઓને તેવાજ રસનું પાન કરાવતા હતા. પૂજ્યશ્રીની આચાર્ય પાટ દીપાવનાર તેમનાજ વડા શિષ્ય શ્રી દેવરાજજી સ્વામી પણ સ્વામીજીના ગુરૂકુલ વાસમાં રહી આચાર્યપદને ભાવે તેવા તૈયાર થયા હતા. અને સ્વામીજીના નિર્વાણ પછી આચાર્યપદ પૂજ્યશ્રી દેવરાજજી સ્વામીનેજ મળ્યું હતું. સ્વામીજી જ્યાં સુધી વિહાર કરવાની શક્તિ હતી ત્યાં સુધી વિહાર કરી સં. ૧૮૫૬ ની સાલમાં છપન્ન (૫૬) વર્ષની ઉંમરે સંગ્રહણી અને વાનું દર્દ થવાથી લીંબડી શહેરમાં સ્થિરવાસ રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy