SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ અસાતા વેદનીને જ્ઞાનદશાથી સમભાવે વેદી, ઉપસમ ભાવમાં ઝીલતા થકા અંતિમ સમયે સર્વ જીવોને શુદ્ધ ભાવે ખમાવી, પિતાના વ્રતોને આલેચી, પ્રતિક્રમી, નિઃશલ્ય થઈ, અનશન આદરી, પરમ સમાધિ ભાવમાં સં. ૧૮૭૦ ના શ્રાવણ વદિ એકમની રાત્રે એક વાગ્યાના સુમારે સ્વામીજીના શાન્ત આત્માએ પરલોક પ્રયાણ કર્યું, અર્થાત્ સ્વામીજીએ સ્વર્ગવાસ કર્યો. ૐ શાન્તિ. તેમની પાટે તેઓશ્રીના વડીલ શિષ્ય પૂજ્યશ્રી દેવરાજજી સ્વામી બેઠા. તેઓ જ્ઞાતે વણક, વીશા ઓશવાલ-કાંડાકરાના રહિશ શેત્ર ડોઢીયા સં. ૧૮૪૧ ના ફાલ્ગન સુદિ ૫ ને ગુરૂવારે ગંડળ મધ્યે દીક્ષા ગ્રહણ કરી, અને સં. ૧૮૭૯ ના આસો વદિ ૧ શ્રી લીંબડી મધ્યે સંથારે કરી સ્વર્ગે પધાર્યા. તેઓના પછી પૂજ્યશ્રી ભાણજી સ્વામી સં. ૧૮૮૦ ના માઘ સુદિ પ મે, પાટે બેઠા અને સં. ૧૮૮૭ ના વૈશાખ સુદિ ૧૩ ના કાઠીયાવાડમાં આવેલા રામોદ ગામે સ્વર્ગસ્થ થયા– તેમની પાટે પુજ્યશ્રી કરમશી સ્વામી બિરાજ્યા–તેઓ સુરતના ભાવસાર હતા અને સં. ૧૮૫૬ માં લીંબડી મધ્યે દીક્ષા ગ્રડ ણ કરી હતી. તેઓશ્રી કઈ કારણને લીધે સં. ૧૮૯૩ (કેઈ સં. ૧૮૯૭ પણ કહે છે) ની સાલમાં પિતાના શિષ્ય સહીત વઢવાણ શહેર પધાર્યા–અને લાખુ પિોળના ઉપાશ્રયે વૃદ્ધાવસ્થાને લઈ સ્થાઇ રહ્યા. તેઓ મહાન તપસ્વી હતા, અને વઢવાણ શહેરમાં સં. ૧૯૦૬ ની સાલમાં ૬૨ દિવસને સંથારે કરી સ્વપધાર્યા–પુજ્ય શ્રી કરમશી સ્વામી લીંબડીથી વઢવાણ પધાર્યા ત્યાર બાદ લીંબડીની ગાદીએ શ્રી સંઘે મળી પુજ્યશ્રી અવિચલજી સ્વામીને બેસાર્યા હતા ત્યારથી પુ. કરમસી સ્વામીને પરિવાર અલગ વિચરતો હતો. તેઓશ્રીની પાટે પૂજ્યશ્રી અવિચલજી સ્વામી બેઠા. તેઓ જ્ઞાતે વીશાઓશવાળ હતા. સં. ૧૮૬૯ ના કાર્તિક વદિ ૧૩ શ્રી લીંબી મધ્યે દીક્ષા લીધી અને સં. ૧૯૧૧ ની સાલમાં લીંબડી મધ્યે સંથારો કરી સ્વર્ગે પધાયાં. ત્યાર પછી પુજ્યશ્રી દેવજી સ્વામી આચાર્યપદે બિરાજ્યા–તેઓશ્રી વાંકાનેર ( કાઠીયાવાડ) ના લુહાણા જ્ઞાતિના હતા. તેમણે માત્ર દશ વર્ષની ઉમરે સં. ૧૮૭૦ ની સાલમાં શ્રી રાપર મધ્ય પુત્ર દેવરાજજી સ્વામી પાસે દીક્ષા લીધી હતી. પૂજ્યશ્રી દેવજી સ્વામી ગાદીએ આવ્યા બાદ બીજે જ વર્ષે એટલે સં. ૧૯૧૫ ની સાલમાં પુત્ર અવિચલજી સ્વામીના શિષ્ય પુ. હીમચન્દ્રજી સ્વામીને એટલે બન્નેને અંદરો અંદર કઈ કારણ ઉત્પન્ન થતાં જુદા થયે, અને ત્યારથી લીંબડી ના સંધાડ સ્થપાયે. તે સંઘવી ધારશી રવાભાઈને ઉપાશ્રય તરીકે ઓળખાયે. અને બહાર પૂજ્યશ્રી હીમચંદ્રજી સ્વામીના સુશિષ્ય શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy