SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ માંડવી બંદરથી વિહાર કરી માનકુવા પધાર્યા. માનકુવા અને ભુજને ચાર ગાઉનું અંતર છે. ત્યાં થોડા જ રેકાઈ જે દિવસે તેઓ માનકુવેથી ભુજ પધારવાના હતા. તે દિવસે ખબર પડવાથી નગારાં નિશાન અને હાથીની મોટી સામગ્રીવાળા સામૈયાની સાથે વાઘ પારેખ સ્વામીજીને લેવા સામા આવ્યા. તે જોઈ સ્વામીજી તરત માનકુવા તરફ પાછા વળ્યા. પારેખ દોડીને સ્વામીજીના ચરણમાં આવી પડ્યા. અને હાથ જોડી કહ્યું:ત્સાહેબ ! આપશ્રી કેમ પાછા વળ્યા ? સ્વામીજીએ કહ્યું, સામૈયાથી નગર પ્રવેશ કરવો તે જૈનમુનિને વ્યવહાર નથી. એમ કહી સ્વામીજી માનકુવે પધાર્યા, અને પારેખ ખેદની સાથે સામૈયાને પાછું વાળી ઘેર આવ્યા. સ્વામીજી માનકુવે એકાદ દિવસ રોકાઈ તરત ભુજ પધાર્યા. વાઘા પારેખે મનુષ્યોના વૃંદ સાથે સાદા રૂપમાં સ્વામીજીને સામા આવી ભુજ નગરમાં પધરામણ કરાવી અને અનુકુલ જગ્યાએ ઉતાર્યા. એક તો સ્વામીજી પ્રભાવશાળી, વળી તેમનું વ્યાખ્યાન અમૃતધારા જેવું, તેમ વાઘે પારેખ રાજના કારભારી; આવાં આકર્ષક કારણને લઈ હજારો માણસની પરિષદું તે વખતે ભરાઈ હતી. સ્વામીજીએ અમૃતધારાએ દેશના દીધી. બીજે દિવસે ચિકાર મેદની ભરાઈ તે જોઈ દેરાવાસી ભાઈઓને દુખ થયું. જેથી અમુક જણે એકાન્તમાં ભેજકને બોલાવી તેની માર્કત સ્વામીજીને કહેવરાવ્યું કે, આપ અત્રે રોકાશે તો કચ્છપ્રદેશમાં મહાન અશાન્તિ ફેલાશે. અને તેના નિમિત્ત રૂપ આપ બનશે. એમ કહી ભેજક ચાલ્યો ગયે. સ્વામીજીએ વિચાર્યું કે જ્યાં મુનિઓના નિમિત્તે અશાન્તિ થાય, ત્યાં મુનિને રહેવાને ધર્મ નથી. એમ ધારી સ્વામીજી ભુજથી વિહાર કરી માનકુવે પધાર્યા. આ બનાવ બન્યા તે વખતે એક પણ ગૃહસ્થની હાજરી ન હતી. પાછળથી વાઘા પારેખને ખબર પડતા તપાસ કરી. ખટપટીઆઓને ધી કાઢયા. તે જ સમયમાં એક વખત રાવથી ખુશમિજાજમાં બેઠેલાં તે વખતે પારેખે યુક્તિપૂર્વક દરબારને સમજાવી સ્થાનકવાસી જૈન મુનિઓને ભુજમાં નહિ આવવા સંબંધીને પ્રતિબંધક લેખ હતું તેને રદ કરવાની રાવશ્રી પાસે રજા મેળવી. ત્યારબાદ સમજાવવા પુરતી યુક્તિ ઘડીને વાઘા પારેખે દેરાવાસી સંઘમાંના આગેવાન ગૃહસ્થોને તેડાવ્યા અને કહ્યું કે રાજમાં અમુક બાંધકામ માટે રૂપીયા વીસ લાખની દરબારને જરૂર છે. જો કે દરબાર તમેને તે રકમનું યોગ્ય વ્યાજ આપશે. પરન્તુ તેટલી રકમ તમારેજ પુરી પાડવી પડશે. આ રાવશ્રીને હુકમ છે, માટે તમે સગવડમાં રહેજે. આ હુકમથી ગૃહસ્થ ચમકયા અને મનમાં સમજી ગયા કે આપણામાંના અમુક માણસોએ સ્થાનકવાસીના સાધુને ઉઠાડી મૂક્યા તેનું આ પરિણામ છે. આ વખતે કારભારીનું મન પ્રસન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy