SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ છેડીને ગામ શ્રી વાઢીયામાં તેમના સગાના ઘેર ગુપ્ત પણે રહ્યા હતા. સ્વામીજી પણ તેજ ગૃહસ્થની જગ્યામાં બહારના ભાગમાં ઉતરેલ હતા, જેથી સ્વામીજીએ દિવસે મધુર વાણથી આપેલ દેશના વાઘા પારેખે બરાબર સાંભળી હતી. સ્વામીજીની વાણીથી આકષોઇ રાત્રિમાં એકાન્તનો પ્રસંગ લઈ ત્યાં સ્વામીજીની સન્મુખ આવી મસ્તક નમાવી બેઠા. વૃદ્ધ પરંપરાથી એમ કહેવાય છે કે –સ્વામીજીએ કર્ણપિશાચિકા વિદ્યા દેવીની આરાધના કરી હતી. જેથી સ્વામી કર્ણ ઉપર હાથ મુકી કર્ણ પિશાચિકાને બોલાવતા, જેથી અપરિચિત લેકેનું નામ, ઠામ, આગમન, પ્રજન તેમજ ભવિષ્યનું પરિણામ કહી આપતા હતા. ઉપરોક્ત વિદ્યાબળથી, વાઘા પારેખે પિતાની પિછાણ આપ્યા પહેલાં સર્વ હકીકત સ્વામીજીએ તેમને કહી આપી, અને ભવિષ્યની વાત પણ સંતોષકારક જણાવી. તે સાંભળી વાઘા પારેખના અંતઃકરણમાં પારાવાર ઉલ્લાસની સાથે સ્વામીજી પ્રત્યે અનન્ય ભક્તિ ભાવ ઉત્પન્ન થયા. પારેખ સ્વામીજીને વાંદી સ્વસ્થાનકે ગયા. નિશ્ચિતપણે નિદ્રા લઈ રાત્રિ પસાર કરી. ભુજમાં પાછળથી એવું બનેલ કે રાવશ્રીના મનમાં પારેખ વિષે ગુસ્સાનું જે કારણ ઉભું થએલ હતું તે આપોઆપ દૂર થઈ ગયું, અને રાવશ્રીના ખાનગી કાર્યમાં પારેખની ખાસ જરૂર પડી; જેથી દરબારે પારેખની શોધ માટે માણસે મેકલ્યા. તે પિકીન રાવશ્રીને એક માણસ પારેખની તપાસ માટે દિવસ ઉદય થયો કે વાઢીઆ ગામે આવી પહોંચ્યા. અને પારેખને મલ્યો. તેની પાસે સંતેષકારક વાત સાંભળી પારેખને સ્વામીજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા થઈ તુરત તે સ્વામીજી પાસે આવી નમસ્કાર કરી પોતે દેરાવાસી જૈન હોવા છતાં સ્વામીજીને ગુરૂ તરીકે સ્વીકારી ભુજ પધારવા અતિ આગ્રહપૂર્વક વિનતિ કરી. સ્વામીજીએ કહ્યું કે ભુજમાં સ્થાનકવાસી જૈન મુનિઓએ નહી આવવું, એવો દેરાવાસી ભાઈઓએ દરબાર તરફથી પ્રતિબંધ લેખ) કરાવેલ છે, તેના માટે શું ? પારેખે કહ્યું કે તે બાબતને હું એબસ્ત કરીશ. આપ કૃપા કરી જરૂર ત્યાં પધારે. સ્વામીજીએ કહ્યું કે શ્રેયનું કારણ જણાશે તો અવસરે આવવા ભાવ છે. સ્વામીજીને આજીજીપૂર્વક વિનંતિ કરી ભારેખ ભુજ ગયા અને રાવશ્રીની મીઠી નજર થવાથી પોતાના મુળ હોદ્દા પર આવી ગયા અને માનપાન પણ વધારે મેળવ્યું. સ્વામી અંજાર મુંદ્રા થઈ માંડવી બંદર પધાયાં અને તે સાલનું ચાતુર્માસ માંડવી પસાર કર્યું. સ્વામીજીને ભુજ પધારવા સંબંધમાં પારેખના વિનંતિ પત્રો માંડવીમાં શેઠ કલ્યાણજી જેઠાભાઈ ઉપર આવેલાં, તે ઉપરથી ચાતુર્માસ પૂર્ણ થયે સ્વામીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy