SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ ઉમેદવાર તરીકે મહારાજશ્રી પાસે રહ્યા. સં. ૧૮૩૯માં તેઓ કચ્છમાંથી વિહાર કરી કાઠીયાવાડમાં પધાર્યા. બે વર્ષ તે તરફ રહી સં. ૧૮૪૧માં તેઓશ્રી ગુંડલા શહેરમાં પધાર્યા, તે વખતે ફાગણ શુદિ પંચમીને જ નાગજીભાઈ અને તેમના પુત્ર દેવરાજભાઈ એ બંને પિતા પુત્રે સ્વામીજી પાસે દીક્ષા લીધી. ગોંડલથી વિહાર કરી સ્વામી ધોરાજી પધાર્યા. ત્યાં તેમના દાદા પુરૂદેવ હીરાજી સ્વામીને અકસ્માત માંદગી થઈ આવી. સ્વામીજીએ અનન્યભાવે ગુરૂસેવાને લાભ લીધે. સં. ૧૮૪૧માં ધોરાજીમાં હીરાજી સ્વામીને સ્વર્ગવાસ થયે, એટલે તેઓ ધોરાજીથી વિહાર કરી લીંબડી તરફ પધાર્યા. તે વખતે પૂજ્ય મેટા કાનજી સ્વામી વઢવાણ બિરાજતા હતા, તેથી તેઓશ્રીના દર્શનાર્થે તેઓ વઢવાણ રોકાયા. વયોવૃદ્ધ શ્રી કાનજી સ્વામી તથા શ્રી અજરામરજી સ્વામી કુલ ઠાણા ૧૦ ત્યાર પછી લીંબડી આવ્યા. સ. ૧૮૪૪ સુધી મોટા પૂજ્યશ્રી ધર્મદાસજી મ. નો આખા કાઠીયાવાડમાં એકજ સંપ્રદાય હતો. આ સંપ્રદાયમાં સાધુજીએના લગભગ ૩૦૦ ઠાણુ હતા, પરંતુ સાધુ સમુદાયમાં શિથિલતાએ પ્રવેશ કર્યો હોવાથી સ્વામીજીએ તેને દૂર કરવા વ્યવહાર શુદ્ધિ માટે ૩૨ બેલ (કલમો) બાંધી હતી, જેને લીધે સંપ્રદાયમાંથી શિથિલપણું દૂર થયું. તો પણ પંચમ કાળના પ્રભાવે અંતર્ગત કારણેને લીધે એક જ લીંબડી સંઘાડામાંથી જુદા જુદા છ સંઘાડાઓ ઉપસ્થિત થયા. જેવાકે -લીંબડી, ગંડલ, ધ્રાંગધ્રા, બરવાળા, ચુડા અને સાયલા. આ નહિ ઈચ્છવાયેગ્ય બનાવથી, સ્વામીના જીવનની ઉજવળ રેખાઓમાં એક શ્યામ રેખા કુદરતના હાથે દોરાઈ હોય એમ જણાય છે. સ્વામીજીને આ બાબત ઘણું દુઃખ થયેલું, પરંતુ ઉપાય ન હતો. ભાવિની પ્રબળતા આગળ ઉપાય કાંઇ કામમાં આવતો નથી. સંવત. ૧૮૪૫માં ચતુર્વિધ સંઘે મળીને લીંબડીમાં પૂ. ધર્મદાસજી સ્વામીની ગાદીની પાટે (પૂ. મેટા કાનજી સ્વામી બરવાળે ગયા એટલે ) પૂજ્યશ્રી નાના કાનજી સ્વામીને બેસાડયા હતા. અને આચાર્યપદ શાસન પ્રભાવક પરમ પૂજ્ય મહારાજ શ્રી અજરામરજી સ્વામીને આપવામાં આવેલ હતું. સ્વામીજી આચાર્ય પદે બિરાજ્યા બાદ એક વર્ષ મુનિમંડળ સાથે ઝાલાવાડ, કાઠીયાવાડમાં વિચરી પિતાની સાધક વાણીને અનેક ભવ્ય અને લાભ આપી જૈન શાસનની ઉન્નતિ કરી. સં. ૧૮૪૬ની સાલમાં સ્વામીજીએ પુનઃ દશ વર્ષે કચ્છ તરફ વિહાર કર્યો. કચ્છનું રણ ઉતરી વાગડમાં વાઢીયા ગામે પધાર્યા, તે વખતે કચ્છ રાજ્ય માં રાવશ્રી પાસે કારભારી તરીકે “વાઘ પારેખ હતા, અને તે દેરાવાસી જૈન હતા. કોઈ કારણસર રાવસાહેબની તેમના પર કફ નજર થવાથી, પારેખ ભુજ ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy